મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં ‘સહકાર પ્રતિજ્ઞા દિવસ’ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબી નજીકના અમરનગર ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE









મોરબી નજીકના અમરનગર ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ અમરનગર ગામ પાસે લીયોલી સિરામિક નજીક વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં બાઈકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા બાઈક લઈને જઈ રહેલા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને તેનું મોત નિપજયુ હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના પિતરાઈ ભાઈએ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના મેઘપર ગામે રહેતા રામભાઈ લાખાભાઈ લાવડીયા જાતે આહિર (૩૦) એ હાલમાં અજાણ્યા વાહન ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તેઓના કાકાનો દીકરો સુધીરભાઈ કાળુભાઈ લાવડીયા (૩૪) રહે મેઘપર તાલુકો માળીયા વાળો મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ અમરનગર ગામ પાસે લિયોલી સીરામીક નજીકથી પોતાનું બાઈક નંબર જીજે ૩૬ સી ૯૭૭૦ લઈને મેઘપર થી મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે ત્યાં રસ્તામાં અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં સુધીરભાઈ લાવડીયાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે મોત નિપજયુ હતુ અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં મૃતકના પિતરાઈ ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વરલી જુગાર

માળીયા મીયાણામાં આવેલ મોટી બજાર ખાતે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની સ્થાનિક પોલીસ હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર લેતા મહમદભાઈ અલ્લારખાભાઈ જેડા જાતે મિયાણા (૩૮) મળી આવતા તેની પાસેથી વરલી જુગારનું સાહિત્ય અને ૫૭૦ રોકડા પોલીસે કબજે કર્યા હતા અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News