ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે વાડીમાં આધેડે આત્યાંતિક પગલું ભરી લેતા મોત : ડીકમ્પોઝ બોડી રાજકોટ ખસેડાયું


SHARE













મોરબીના ખાનપર ગામે વાડીમાં આધેડે આત્યાંતિક પગલું ભરી લેતા મોત : ડીકમ્પોઝ બોડી રાજકોટ ખસેડાયું 

મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં વાડીએ આવેલ ઓરડીમાં આધેડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે બોડી ડીકોમ્પોઝ થઈ ગઈ હોવાથી તેને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ખાનપર ગામે આવેલ વાડીની ઓરડીમાં કોઈપણ કારણોસર ખાનપર ગામે રહેતા રામજીભાઈ સવજીભાઈ રાઠોડ જાતે કોળી (૫૦) એ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતકની ડેડબોડી ડી કમ્પોઝ થઈ ગઈ હોવાથી તેને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે અને આપઘાતના આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એન.જે. ખડિયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતકે આપઘાત શા માટે થઈને કર્યો છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

બીમારી સબબ મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ યદુનંદન ગૌ સેવા ટ્રસ્ટ સંચાલિત માનવસેવા આશ્રમ ખાતે બે દિવસ પહેલા બીમાર હાલતમાં લઈ આવેલ નિરાધાર રામચરણપાલ રામરતનપાલ (૬૫) નામના વૃદ્ધ બીમારી સબબ મૃત્યુ પામતા તેઓના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News