મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે વાડીમાં આધેડે આત્યાંતિક પગલું ભરી લેતા મોત : ડીકમ્પોઝ બોડી રાજકોટ ખસેડાયું


SHARE









મોરબીના ખાનપર ગામે વાડીમાં આધેડે આત્યાંતિક પગલું ભરી લેતા મોત : ડીકમ્પોઝ બોડી રાજકોટ ખસેડાયું 

મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં વાડીએ આવેલ ઓરડીમાં આધેડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે બોડી ડીકોમ્પોઝ થઈ ગઈ હોવાથી તેને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ખાનપર ગામે આવેલ વાડીની ઓરડીમાં કોઈપણ કારણોસર ખાનપર ગામે રહેતા રામજીભાઈ સવજીભાઈ રાઠોડ જાતે કોળી (૫૦) એ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતકની ડેડબોડી ડી કમ્પોઝ થઈ ગઈ હોવાથી તેને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે અને આપઘાતના આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એન.જે. ખડિયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતકે આપઘાત શા માટે થઈને કર્યો છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

બીમારી સબબ મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ યદુનંદન ગૌ સેવા ટ્રસ્ટ સંચાલિત માનવસેવા આશ્રમ ખાતે બે દિવસ પહેલા બીમાર હાલતમાં લઈ આવેલ નિરાધાર રામચરણપાલ રામરતનપાલ (૬૫) નામના વૃદ્ધ બીમારી સબબ મૃત્યુ પામતા તેઓના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News