મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે
Breaking news
Morbi Today

વાંકાનેરના ચંદ્રપુર ગામે ઘરે ઈલેક્ટ્રીક શોટ લાગતા સગીરાનું મોત


SHARE















વાંકાનેરના ચંદ્રપુર ગામે ઘરે ઈલેક્ટ્રીક શોટ લાગતા સગીરાનું મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ ચંદ્રપુર ગામે રહેતી સગીર વયની દીકરીને તેના ઘરે કામ દરમિયાન ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા તેનું મોત નિપજયુ હતું જેથી હાલ વાંકાનેર સિટી પોલીસે આ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેરના ચંદ્રપુર ગામે મંડળી વાળી શેરીમાં રહેતા અસ્માબેન દાઉદભાઈ મોડ નામની ૧૭ વર્ષની સગીરા તેના ઘરે કામ કરતી હતી ત્યારે તેણીને ઘરે ઇલેક્ટ્રીક શોટ લાગતા ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું.હાલ તેના ડેડબોડીને વાંકાનેર સિવિલ ખાતે લાવવામાં આવતા બનાવની નોંધ કરીને વાંકાનેર સિટી પોલીસ મથકના વી.આર.પરમાર દ્વારા આ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

દારૂના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા તળે વડોદરા જેલ હવાલે કરાયો

મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ હાર્ડકોર ગુનેગારો સામે કડક પગલા લેવા જણાલયનેલ હોય એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલએ મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ (કલેકટર) તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટએ દારૂનાકેસમાં સંડોવાયેલ કલ્પેશભાઇ લાખાભાઇ ચૌહાણ (ઉ.વ.૨૨) રહે.ચિરોડા (ઠા) તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર સામ પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય કલ્પેશ ચૌહાણને પાસા એકટ તળે વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી પકડી ડીટેઇન કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપેલ છે.આ કામગીરી પીઆઇ ડી.એમ.ઢોલ પીએસઆઇ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફે કરી હતી.






Latest News