મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના પ્રયાસોથી મોરબી જિલ્લાના શિક્ષકોનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો


SHARE













પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના પ્રયાસોથી મોરબી જિલ્લાના શિક્ષકોનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો

મોરબી જિલ્લાના શિક્ષકોનો દસ વર્ષ જૂનો જીપીએફનો પ્રશ્ન હતો જેના માટે મોરબી માળીયાના માજી ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત કરવામાં આવી હતી અને તેના પ્રયત્નોથી આ પ્રશ્ન ઉકેલાયો છે. જેથી શિક્ષકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

મોરબી જિલ્લો વર્ષ- ૨૦૧૩ માં કાર્યરત થયો ત્યારથી આજ દિન સુધી શિક્ષકોના જીપીએફ એકાઉન્ટ મોરબી, માળીયા, વાંકાનેર અને ટંકારા તાલુકાના મૂળ રાજકોટ જિલ્લામાં હળવદના સુરેન્દ્રનગર જિલ્લામાં અને આમરણ પંથકના ગામોના જામનગર જિલ્લામાં ચાલતા હોય પાર્ટ ફાઈનલ કે ફાઈનલ ઉપાડ કરવામાં તેમજ જી.પી.એફ. કપાત કરવામાં ઘણી બધી વહીવટી મુશ્કેલીઓ પડતી હતી. શિક્ષકોને ઘણું બધું નાણાંકીય નુકશાન થતું હતું. બ્રિજેશભાઈ મેરજાએ પંચાયત મંત્રી તરીકેના પોતાના કાર્યકાળમાં અનેક વિકટ પ્રશ્નો જેવા કે નવી પંચાયત બનાવવવી, રેવન્યુ રકબાના પ્રશ્નો, તમામ તાલુકાઓમાં તાલુકા વિકાસ અધિકારીઓની નિમણૂક કરવી, તલાટી કમ મંત્રીઓના ફૂલ પગારના કરવાની સાથે સાથે છેલ્લા દસ વર્ષથી નવ રચિત મોરબી જિલ્લાના શિક્ષકોના જીપીએફ એકાઉન્ટ મોરબી જિલ્લામાં જ ઓપન કરવાની વર્ષો જૂની પેચીદો પ્રશ્ન હલ કરવાની કાર્યવાહી પંચાયત વિભાગ, જિલ્લા તાલુકાની શિક્ષણ શાખાના અધિકારી કર્મચારીઓની મદદથી મોરબી જિલ્લાના જી.પી.એફ.એકાઉન્ટ મોરબીમાં ઓપન કરવાની કામગીરી બ્રિજેશભાઈ મેરજાના કાર્યકાળમાં હાથ ધરવામાં આવી હતી અને મોરબીમાં જ જીપીએફ એકાઉન્ટ ઓપન થઈ ગયા હતા પરંતુ માર્ચ-૨૦૨૩ સુધીના સમગ્ર વર્ષના વ્યાજ સહિતના હિસાબો વ્યવસ્થિત રહે એ માટે માર્ચ-૨૦૨૩ સુધીની કપાત જુના જિલ્લાઓમાં ચાલુ રાખેલ હતી પણ હવે નવા નાણાંકીય વર્ષ ૨૦૨૩૦-૨૪ એટલે કે એપ્રિલથી જ શિક્ષકોની જીપીએફ કપાત જમા મોરબી જિલ્લામાં જ કરવામાં આવ્યા છે, આમ વર્ષો જૂનો જીપીએફનો પ્રશ્ન પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાની સૂઝબૂઝ, કુનેહ અને વહીવટી પારંગતતાના કારણે હલ થયો હોય શિક્ષકોએ પૂર્વ પંચાયત મંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે. જેનાં પ્રત્યુત્તરમાં બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ સાથી મંત્રીઓના સહયોગથી આ પ્રશ્ન ઉકેલવામાં મને સફળતા મળી છે.






Latest News