પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના પ્રયાસોથી મોરબી જિલ્લાના શિક્ષકોનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો
મોરબી જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં ૩૨૭૫ કેસનો નિકાલ: ૧૪.૩૩ કરોડનું સેટલમેન્ટ
SHARE
મોરબી જિલ્લામાં લોક અદાલતમાં ૯૯૦૮ કેસો લેવામાં આવ્યા હતા જેમાંથી ૩૨૭૫ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. જેથી કરીને ૧૪.૩૩ કરોડનું સેટલમેન્ટ કરવામાં આવ્યા હોવાનું જવાબદાર અધિકારીએ જણાવ્યુ છે.
શનિવારે મોરબી જીલ્લામાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૯૯૦૮ કેસ રાખવામા આવેલ હતા. તેમાંથી ૩૨૭૫ કેસનો નિકાલ થયેલ છે. જેમાં પ્રી-લિટીગેશનના, પ્રોહિબિશન, જમીન – મિલકત, ચેક રીટર્ન, ફેમિલી તકરાર, વાહન અકસ્માત, ટ્રાફીકના ઈ-ચલણ વિગેરે કેસનો સમાવેશ થાય છે અને આ કેસનો નિકાલ થવાથી ૧૪.૩૩ કરોડનું સેટલમેન્ટ કરવામા આવ્યું છે