હળવદના ટીકર પાસે વાડામાં આગ લગતા ૪૦૦ અબોલ જીવ માટેનો નીરણ અને ચારો ખાખ
SHARE
હળવદના ટીકર પાસે વાડામાં આગ લગતા ૪૦૦ અબોલ જીવ માટેનો નીરણ અને ચારો ખાખ
હળવદના ટિકર ગામે રહેતા માલધારી કાળુભાઈ માવજીભાઈ રબારીના વાડામાં તેની ૩૦૦ જેટલી ગાયો અને ૧૦૦ જેટલી ભેંસો માટે ૪૦૦૦ મણ સૂકી નીરણ ૭૦૦ મણ ગવારનો ભૂકો હતો જેમાં કોઈ કારણોસર રવિવારે બપોરના સમયે આગ લાગી હતી જેથી કરીને અબોલ જીવ માટેનો તમામ ચારો બળીને ખાખ થઈ ગયો છે એટીઆર ઉલેખનીય છે કે, માથે ચોમાસુ હોવાથી માલધારીએ પહેલાથી જ તેના ૪૦૦ જેટલા આ બોલ જીવ માટે ચારાની વ્યવસ્થા કરી હતી જો કે, આગ લગતા તે બળીને ખાખ થઈ ગયેલ છે આ બનવાની જાણ મોરબી જિલ્લા પંચાયતના માજી સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયાએ કરવામાં આવી હતી જેથી તે ઘટના સ્થળે પહોચ્યા હતા અને તાત્કાલિક પાણીના બે ટેન્કર માંગવીને આગને કાબુમાં લેવા માટેનુ કામ કરવામાં આવ્યું હતું જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં ઘાસચારો બળીને ખાખ થઈ ગયો છે અને માલધારીને અંદાજે આઠ લાખથી વધુનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે