મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળીમાં આધેડને બારીની બાબતમાં ચાર શખ્સોએ માર માર્યો


SHARE













ટંકારાના હરબટીયાળીમાં આધેડને બારીની બાબતમાં ચાર શખ્સોએ માર માર્યો

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા આધેડને તેઓના ઘરની સામે કેમ બારી મૂકી તેવું કહીને ચાર શખ્સો દ્વારા ગાળા ગાળી કરવામાં આવી હતી અને બાદમાં ધોકા વડે માર મારવામાં આવ્યો હતો તેમ જપાજપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળ કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા અશોકભાઈ ભગવાનજીભાઈ સંઘાણી જાતે પટેલ (૪૯) એ હાલમાં અનીશભાઈ ઈસાભાઈ, નજીરભાઈ ઈશાભાઈ, અરમાન ઈશાભાઈ અને ઇરફાન અલીભાઈ રહે. બધા હરબટીયાળી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને કહ્યું છે કે હરબટીયાળી ગામના ઝાપા પાસે આરોપીઓએ તેને રોક્યા હતા અને તેઓના ઘરની સામે કેમ બારી મૂકે છે તેવું કહીને તેની સાથે બોલા ચાલી અને ઝઘડો કર્યો હતો ત્યાર બાદ ગાળો આપી હતીને અનીશભાઈ ઈશાભાઈએ તેના હાથમાં રહેલ ધોકા વડે ફરિયાદી આધેડને માર માર્યો હતો તેમજ અન્ય ત્રણ શખ્સોએ ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે ઇજા પામેલા અશોકભાઈ સંઘાણીએ સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News