મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં બહેન-દીકરીઓની સલામતી માટે યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલન-ધરણાની ચિમકી


SHARE













મોરબીમાં બહેન-દીકરીઓની સલામતી માટે યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલન-ધરણાની ચિમકી

મોરબી અનુ.જાતિ પ્રતિનિધિ મંડળના ગૌતમભાઈ મકવાણા સહિતનાઑ દ્વારા જિલ્લાના કલેક્ટર મારફતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિત રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથડી ગયેલ છે અને જિલ્લામાં બહેન-દિકરીની સલામતી રહી નથી. હાલ મોરબી જિલ્લામાં છાસવારે દુષ્કર્મ જેવા બનાવો બની રહ્યા છે. સગીરવયની દિકરીઓ આવારાતત્વો દ્વારા અપહરણ તથા શોષણ થાય છે. આવા ગંભીર બનાવોની ફરિયાદ દાખલ કરવા પણ સામાજિક આગેવાનો ગયા પછી ફરિયાદ નોંધવામાં આવે છે. તથા પીડિત પરિવારો સાથે ઉઘતાનભર્યા વર્તન કરવામાં આવે છે. ગુજરાત સરકારના સુત્ર બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરે છે તેના મોરબી જિલ્લામાં લીરેલીરા ઉડી રહ્યા છે.

વધુમાં જવાબદાર અધિકારી તથા ચૂંટાયેલ પ્રતિનિધ સામે આક્ષેપ કર્યા કહ્યું છે કે, મોરબી જિલ્લામાં એક મહિનામાં સમાજ માટે ચિંતાજનક કહી શકાય તેવા ઘણા બનાવો બનેલ છે તો પણ જવાબદાર અધિકારી માત્ર કાગળો પર કામ કરી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે ત્યારે અધિકારી તથા ચૂંટાયેલ પ્રતિનિધ દ્વારા દુષ્કર્મ, સગીરવયની દિકરીઓના શોષણ બાબતે કોઈ ગંભીરતા દર્શાવવામાં આવતી નથી. મોરબી જિલ્લાની બહેન-દિકરી સલામતી માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો માંગણીને સંતોષવામાં નહિ આવે તો સામાજિક આગેવાનો પીડિત પરિવારને સાથે રાખી ગાંધી ચિધ્યામાર્ગે આંદોલન અને ધરણા કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી






Latest News