મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીમાં બહેન-દીકરીઓની સલામતી માટે યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલન-ધરણાની ચિમકી


SHARE















મોરબીમાં બહેન-દીકરીઓની સલામતી માટે યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલન-ધરણાની ચિમકી

મોરબી અનુ.જાતિ પ્રતિનિધિ મંડળના ગૌતમભાઈ મકવાણા સહિતનાઑ દ્વારા જિલ્લાના કલેક્ટર મારફતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિત રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથડી ગયેલ છે અને જિલ્લામાં બહેન-દિકરીની સલામતી રહી નથી. હાલ મોરબી જિલ્લામાં છાસવારે દુષ્કર્મ જેવા બનાવો બની રહ્યા છે. સગીરવયની દિકરીઓ આવારાતત્વો દ્વારા અપહરણ તથા શોષણ થાય છે. આવા ગંભીર બનાવોની ફરિયાદ દાખલ કરવા પણ સામાજિક આગેવાનો ગયા પછી ફરિયાદ નોંધવામાં આવે છે. તથા પીડિત પરિવારો સાથે ઉઘતાનભર્યા વર્તન કરવામાં આવે છે. ગુજરાત સરકારના સુત્ર બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરે છે તેના મોરબી જિલ્લામાં લીરેલીરા ઉડી રહ્યા છે.

વધુમાં જવાબદાર અધિકારી તથા ચૂંટાયેલ પ્રતિનિધ સામે આક્ષેપ કર્યા કહ્યું છે કે, મોરબી જિલ્લામાં એક મહિનામાં સમાજ માટે ચિંતાજનક કહી શકાય તેવા ઘણા બનાવો બનેલ છે તો પણ જવાબદાર અધિકારી માત્ર કાગળો પર કામ કરી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે ત્યારે અધિકારી તથા ચૂંટાયેલ પ્રતિનિધ દ્વારા દુષ્કર્મ, સગીરવયની દિકરીઓના શોષણ બાબતે કોઈ ગંભીરતા દર્શાવવામાં આવતી નથી. મોરબી જિલ્લાની બહેન-દિકરી સલામતી માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો માંગણીને સંતોષવામાં નહિ આવે તો સામાજિક આગેવાનો પીડિત પરિવારને સાથે રાખી ગાંધી ચિધ્યામાર્ગે આંદોલન અને ધરણા કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી






Latest News