મોરબીના અમરનગર નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક અંજારથી પકડાયો
SHARE
મોરબીના અમરનગર નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક અંજારથી પકડાયો
મોરબીના અમરનગર ગામ પાસે લીયોલી સિરામિક નજીક વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં બાઈકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા બાઈક લઈને જઈ રહેલા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેનું મોત નિપજયુ હતું આ બનાવ સંદર્ભે મૃતકના પિતરાઈ ભાઈએ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમે આરોપીની ધરપકડ કરેલ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના મેઘપર ગામે રહેતા રામભાઈ લાખાભાઈ લાવડીયા જાતે આહિર (૩૦) એ અજાણ્યા વાહન ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના કાકાનો દીકરો સુધીરભાઈ કાળુભાઈ લાવડીયા (૩૪) રહે મેઘપર તાલુકો માળીયા વાળો મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ અમરનગર ગામ પાસે લિયોલી સીરામીક નજીકથી પોતાનું બાઈક નંબર જીજે ૩૬ સી ૯૭૭૦ લઈને મેઘપર થી મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે ત્યાં રસ્તામાં અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી સુધીરભાઈ લાવડીયાનું મોત નિપજયુ હતુ અને મૃતકના પિતરાઈ ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ હતા તાલુકા પોલિસ મથકના ભગીરથ લોખિલ સહિતના સ્ટાફે સીસીટીવી કેમેરાઓ તપાસતા તે દરમ્યાન આ ગુનામાં મુંદ્રાના વાવોર ગામે રહેતા જીગર જીતેન્દ્રભાઇ ગઢવીનો ટ્રક નં જીજે ૧૨ એઝેડ ૫૨૧૪ હોવાનું સામે આવ્યું હતુ જેથી પોલીસે તેના ડ્રાઇવર ગોપાલભાઇ કારાભાઇ બતા (૪૬) રહે. લાખાપર તાલુકો અંજાર વાળાની ધરપકડ કરેલ છે.