મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજની બહેન દીકરીઓ માટે ધ કેરાલા સ્ટોરીનો ખાસ શો યોજાયો


SHARE









મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજની બહેન દીકરીઓ માટે ધ કેરાલા સ્ટોરીનો ખાસ શો યોજાયો

હાલમાં લવ જેહાદ અને આતંકવાદ ઉપરની ફિલ્મ ધ કેરાલા સ્ટોરીની ઠેરઠેર ચર્ચા છે અને વધુમાં વધુ યુવતીઓ તેમજ મહિલાઓ આ ફિલ્મને જોવે તેના માટેના આયોજનો કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીમાં પરશુરામ ધામ ટ્રસ્ટ અને પરશુરામ યુવા ગૃપ સમસ્ત બ્રહ્મસમાજની બહેન દીકરીઓ માટે સ્કાય સિનેમા ખાતે ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજની બહેન દીકરીઓ હાજર રહી હતી અને સાથે ફિલ્મ જોઈ હતી

લવ જેહાદ અને આતંકવાદને ઉજાગર કરતી ફિલ્મ ધ કેરાલા સ્ટોરી ફિલ્મની ચર્ચા ચાલી રહી છે ત્યારે ગુરુવારે મોરબીમાં આવેલા ગુહમંત્રી હર્ષ સંઘવી કહ્યું હતું કે, સલિમ સુરેશ બનીને કે પછી સુરેશ સલિમ એનીને કોઈને ફસાવશે અને તેની અરજી કે ફરિયાદ આવશે તો તાત્કાલિક પોલીસ તેના ઉપર કાર્યવાહી કરશે તેવું નિવેદન આપ્યું હતું ત્યારે બપોરે મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજની બહેન દીકરીઓને ધ કેરાલા સ્ટોરી ફિલ્મ દેખાડવા માટે પરશુરામ ધામ ટ્રસ્ટ અને પરશુરામ યુવા ગૃપ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫ વર્ષથી ઉપરની દીકરી, યુવતીઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી અને વર્તમાન સમયમાં દીકરીઓના માતા પિતા માટેની જે સૌથી મોટી ચિંતાનો વિષય છે તેને ઉજાગર કરનારી ફિલ્મને જોઈને સમાજમાં જે મુદામા જાગૃતિ લાવવાની જરૂર છે તે મુદાને હાલમાં યોગ્ય રીતે જ ઉજાગર કરવામાં આવી રહ્યા છે તેવું બ્રહ્મસમાજની બહેન દીકરીઓને જણાવ્યુ હતું અને ખાસ કરીને ગુહમંત્રી દ્વારા લવ જેહાદ બાબતે સરકારની સ્પષ્ટ નીતિની જે વાત કરી તેની પણ બ્રહ્મસમાજની બહેન દીકરીઓને ભારો ભાર પ્રસંસા કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરશુરામ ધામ મોરબીના ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યા અને અનિલભાઈ મહેતા તેમજ મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ અતુલભાઈ જોશી અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News