મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજની બહેન દીકરીઓ માટે ધ કેરાલા સ્ટોરીનો ખાસ શો યોજાયો


SHARE















મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજની બહેન દીકરીઓ માટે ધ કેરાલા સ્ટોરીનો ખાસ શો યોજાયો

હાલમાં લવ જેહાદ અને આતંકવાદ ઉપરની ફિલ્મ ધ કેરાલા સ્ટોરીની ઠેરઠેર ચર્ચા છે અને વધુમાં વધુ યુવતીઓ તેમજ મહિલાઓ આ ફિલ્મને જોવે તેના માટેના આયોજનો કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીમાં પરશુરામ ધામ ટ્રસ્ટ અને પરશુરામ યુવા ગૃપ સમસ્ત બ્રહ્મસમાજની બહેન દીકરીઓ માટે સ્કાય સિનેમા ખાતે ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજની બહેન દીકરીઓ હાજર રહી હતી અને સાથે ફિલ્મ જોઈ હતી

લવ જેહાદ અને આતંકવાદને ઉજાગર કરતી ફિલ્મ ધ કેરાલા સ્ટોરી ફિલ્મની ચર્ચા ચાલી રહી છે ત્યારે ગુરુવારે મોરબીમાં આવેલા ગુહમંત્રી હર્ષ સંઘવી કહ્યું હતું કે, સલિમ સુરેશ બનીને કે પછી સુરેશ સલિમ એનીને કોઈને ફસાવશે અને તેની અરજી કે ફરિયાદ આવશે તો તાત્કાલિક પોલીસ તેના ઉપર કાર્યવાહી કરશે તેવું નિવેદન આપ્યું હતું ત્યારે બપોરે મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજની બહેન દીકરીઓને ધ કેરાલા સ્ટોરી ફિલ્મ દેખાડવા માટે પરશુરામ ધામ ટ્રસ્ટ અને પરશુરામ યુવા ગૃપ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫ વર્ષથી ઉપરની દીકરી, યુવતીઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી અને વર્તમાન સમયમાં દીકરીઓના માતા પિતા માટેની જે સૌથી મોટી ચિંતાનો વિષય છે તેને ઉજાગર કરનારી ફિલ્મને જોઈને સમાજમાં જે મુદામા જાગૃતિ લાવવાની જરૂર છે તે મુદાને હાલમાં યોગ્ય રીતે જ ઉજાગર કરવામાં આવી રહ્યા છે તેવું બ્રહ્મસમાજની બહેન દીકરીઓને જણાવ્યુ હતું અને ખાસ કરીને ગુહમંત્રી દ્વારા લવ જેહાદ બાબતે સરકારની સ્પષ્ટ નીતિની જે વાત કરી તેની પણ બ્રહ્મસમાજની બહેન દીકરીઓને ભારો ભાર પ્રસંસા કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરશુરામ ધામ મોરબીના ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યા અને અનિલભાઈ મહેતા તેમજ મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ અતુલભાઈ જોશી અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News