મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજની બહેન દીકરીઓ માટે ધ કેરાલા સ્ટોરીનો ખાસ શો યોજાયો


SHARE













મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજની બહેન દીકરીઓ માટે ધ કેરાલા સ્ટોરીનો ખાસ શો યોજાયો

હાલમાં લવ જેહાદ અને આતંકવાદ ઉપરની ફિલ્મ ધ કેરાલા સ્ટોરીની ઠેરઠેર ચર્ચા છે અને વધુમાં વધુ યુવતીઓ તેમજ મહિલાઓ આ ફિલ્મને જોવે તેના માટેના આયોજનો કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીમાં પરશુરામ ધામ ટ્રસ્ટ અને પરશુરામ યુવા ગૃપ સમસ્ત બ્રહ્મસમાજની બહેન દીકરીઓ માટે સ્કાય સિનેમા ખાતે ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજની બહેન દીકરીઓ હાજર રહી હતી અને સાથે ફિલ્મ જોઈ હતી

લવ જેહાદ અને આતંકવાદને ઉજાગર કરતી ફિલ્મ ધ કેરાલા સ્ટોરી ફિલ્મની ચર્ચા ચાલી રહી છે ત્યારે ગુરુવારે મોરબીમાં આવેલા ગુહમંત્રી હર્ષ સંઘવી કહ્યું હતું કે, સલિમ સુરેશ બનીને કે પછી સુરેશ સલિમ એનીને કોઈને ફસાવશે અને તેની અરજી કે ફરિયાદ આવશે તો તાત્કાલિક પોલીસ તેના ઉપર કાર્યવાહી કરશે તેવું નિવેદન આપ્યું હતું ત્યારે બપોરે મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજની બહેન દીકરીઓને ધ કેરાલા સ્ટોરી ફિલ્મ દેખાડવા માટે પરશુરામ ધામ ટ્રસ્ટ અને પરશુરામ યુવા ગૃપ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫ વર્ષથી ઉપરની દીકરી, યુવતીઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી અને વર્તમાન સમયમાં દીકરીઓના માતા પિતા માટેની જે સૌથી મોટી ચિંતાનો વિષય છે તેને ઉજાગર કરનારી ફિલ્મને જોઈને સમાજમાં જે મુદામા જાગૃતિ લાવવાની જરૂર છે તે મુદાને હાલમાં યોગ્ય રીતે જ ઉજાગર કરવામાં આવી રહ્યા છે તેવું બ્રહ્મસમાજની બહેન દીકરીઓને જણાવ્યુ હતું અને ખાસ કરીને ગુહમંત્રી દ્વારા લવ જેહાદ બાબતે સરકારની સ્પષ્ટ નીતિની જે વાત કરી તેની પણ બ્રહ્મસમાજની બહેન દીકરીઓને ભારો ભાર પ્રસંસા કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરશુરામ ધામ મોરબીના ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યા અને અનિલભાઈ મહેતા તેમજ મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ અતુલભાઈ જોશી અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News