મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
મોરબીમાં નિ:શુલ્ક ત્રિદિવસીય યોગ તથા નેચરોપથી તાલીમ શિબિર યોજાઇ
SHARE
મોરબીમાં નિ:શુલ્ક ત્રિદિવસીય યોગ તથા નેચરોપથી તાલીમ શિબિર યોજાઇ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ મહિલા સમિતિ, આર્ટ ઓફ લિવિંગના સયુંકત ઉપક્રમે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગ દિવસની જાગૃતી લાવવા માટે ગુજરાતનું પેરિસ મોરબી શહેરમાં શિબિરના ભાગરૂપે આયોજન થયેલ છે.તા.૨૬ ના રોજ યોગ નેચરોપેથી ડો.ચિંતન ત્રિવેદી, તા.૨૭ ના આર્ટ ઓફ લિવિંગના હર્ષાબેન મોર, તા.૨૮ ના રૂપલ શાહ ભારતીબેન રંગપરીયા સેવા આપશે.કેમ્પ સવારના ૬:૩૦ થી ૮ નો ટાઈમ રાખેલ છે.કેમ્પ સોમનાથ સોસાયટી સાર્વજનિક પ્લોટ રવાપર રોડ મધર ટેરેસા આશ્રમની બાજુમાં મોરબી ખાતે યોજાશે.
કેમ્પનું આયોજક ગુજરાત યોગ બોર્ડના યોગકોચ રૂપલબેન શાહ (મો.૯૯૭૯૩ ૮૩૭૯૭) દ્રારા કરવામાં આવેલ છે.જેમાં સંયોજક તરીકે પતંજલિ મહિલા સમિતિના રાજ્ય પ્રભારી ભારતીબેન રંગપરીયા (મો.૯૮૨૫૭ ૨૫૨૨૨), જિલ્લા પ્રભારી મીનાબેન માકડીયા, નરશીભાઈ અંદરપા, રણછોડભાઈ પટેલના સહયોગથી આ શિબિર યોજવામાં આવી છે.જેમા સહાયક ટીચર તરીકે પંડિત જીગ્નેશભાઈ, મણીયાર મીનલ, ચારોલા મીનાબેન, દલસાણિયા મહેશ્વરી, માકાસણા ભાવિકા, ઉષાબેન વોરા સહયોગ આપશે.મોરબીની યોગ પ્રેમી જનતાને આ શિબિરનો લાભ લેવા સૌને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.