મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાન અને તેના પરિવાર ઉપર ચાર શખ્સોએ કર્યો ધોકા વડે હુમલો


SHARE















હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાન અને તેના પરિવાર ઉપર ચાર શખ્સોએ કર્યો ધોકા વડે હુમલો

હળવદમાં શનિદેવના મંદિરની બાજુમાં વડવાળા કાંટાની પાછળ અગાઉ થયેલ ઝઘડાનો મનદુઃખ રાખીને ચાર શખ્સો દ્વારા ધોકા વડે યુવાન અને તેના પરિવારજનો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે યુવાન, તેના દીકરા અને પુત્રવધુને માર મારવામાં આવ્યો હતો જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં શનિદેવ મંદિર પાસે રહેતા જગદીશભાઇ ભનુભાઇ વાણસકીયા જાતે નાથબાવા (૪૫)એ હાલમાં મનાભાઈ મોહનભાઈ બાવાજી, સનાભાઇ મોહનભાઈ બાવાજી, ભરતભાઈ ધુળાભાઈ બાવાજી અને પ્રભુભાઈ ભરતભાઈ બાવાજી રહે બધા  વડવાળા કાંટાની પાછળ હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, અગાઉ સામાન્ય ઝઘડો થયો હતો તે બાબતનો મનદુઃખ રાખીને ચારેય શખ્સો દ્વારા હાથમાં લાકડાના ધોકા લઈને આવીને ફરિયાદી જગદીશભાઈને ગાળો આપવામાં આવી હતી અને ધોકા વડે તેને માર માર્યો હતો તેમજ તેના દીકરા અને દીકરીની પત્નીને પણ આરોપીઓએ માર માર્યો હતો જેમાં ફરિયાદીની પુત્રવધુને કપાળના ભાગે વધુ ઈજા થઈ હતી ત્યાર બાદ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલે લઈને ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં જગદીશભાઈએ ચાર શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

છરી મારી
મૂળ ટંકારા તાલુકાના રામપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં ઝૂંપડામાં રહેતા હંસાબેન રમેશભાઈ જખાણીયા (૩૧) ને મોરબીના ખાટકીવાસ પાસે તેના પતિએ જમણા હાથે કોણી પાસે છરી વડે ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News