મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાન અને તેના પરિવાર ઉપર ચાર શખ્સોએ કર્યો ધોકા વડે હુમલો


SHARE









હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાન અને તેના પરિવાર ઉપર ચાર શખ્સોએ કર્યો ધોકા વડે હુમલો

હળવદમાં શનિદેવના મંદિરની બાજુમાં વડવાળા કાંટાની પાછળ અગાઉ થયેલ ઝઘડાનો મનદુઃખ રાખીને ચાર શખ્સો દ્વારા ધોકા વડે યુવાન અને તેના પરિવારજનો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે યુવાન, તેના દીકરા અને પુત્રવધુને માર મારવામાં આવ્યો હતો જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં શનિદેવ મંદિર પાસે રહેતા જગદીશભાઇ ભનુભાઇ વાણસકીયા જાતે નાથબાવા (૪૫)એ હાલમાં મનાભાઈ મોહનભાઈ બાવાજી, સનાભાઇ મોહનભાઈ બાવાજી, ભરતભાઈ ધુળાભાઈ બાવાજી અને પ્રભુભાઈ ભરતભાઈ બાવાજી રહે બધા  વડવાળા કાંટાની પાછળ હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, અગાઉ સામાન્ય ઝઘડો થયો હતો તે બાબતનો મનદુઃખ રાખીને ચારેય શખ્સો દ્વારા હાથમાં લાકડાના ધોકા લઈને આવીને ફરિયાદી જગદીશભાઈને ગાળો આપવામાં આવી હતી અને ધોકા વડે તેને માર માર્યો હતો તેમજ તેના દીકરા અને દીકરીની પત્નીને પણ આરોપીઓએ માર માર્યો હતો જેમાં ફરિયાદીની પુત્રવધુને કપાળના ભાગે વધુ ઈજા થઈ હતી ત્યાર બાદ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલે લઈને ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં જગદીશભાઈએ ચાર શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

છરી મારી
મૂળ ટંકારા તાલુકાના રામપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં ઝૂંપડામાં રહેતા હંસાબેન રમેશભાઈ જખાણીયા (૩૧) ને મોરબીના ખાટકીવાસ પાસે તેના પતિએ જમણા હાથે કોણી પાસે છરી વડે ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News