મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના નિકુંજ ભાલોડિયા સહિત ત્રણ શખ્સો ૨૩.૪૪ લાખની જાલીનોટો સાથે રાજકોટમાં ઝડપાયા   


SHARE









મોરબી જિલ્લાના નિકુંજ ભાલોડિયા સહિત ત્રણ શખ્સો ૨૩.૪૪ લાખની જાલીનોટો સાથે રાજકોટમાં ઝડપાયા   

૨ હજારના દરની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે અને લોકો આવી નોટો જમા કરાવવા બેંકોમાં ઉમટી રહ્યા છે એ દરમિયાન જ ૧૦૦, ૫૦૦ના દરની નકલી નોટો છાપવાના કારસ્તાનનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઇ છે. રાજકોટ પોલીસે મુળ મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના સજ્જન૫૨ના વતની અને હાલ મોરબી રોડ અમૃત પાર્કમાં રહેતાં નિકુંજ ભાલોડીયા તથા સાધુ વાસવાણી રોડ પર ડેરી ચલાવતાં વિશાલ ગઢીયા અને . ડેરીની નજીકમાં જ રહેતાં વિશાલ બુધ્ધદેવને દબોચી લઇ કુલ રૂા. ૨૩,૪૪,૫૦૦ની જાલીનોટો જપ્ત કરી છે. જેમાં ૫૦૦ના દરની ૪૬૨૨ નોટો અને ૧૦૦ના દરની ૩૩૫ નકલી નોટો સામેલ છે. સુત્રધાર નિકુંજે ટેક્સટાઇલ, મોબાઇલ ફોન અને શેરબજારના એમ ત્રણ ત્રણ ધંધા ફેરવ્યા છતાં સફળતા મળી ન હોય ડુપ્લીકેટ નોટના ધંધામાં આવી ગઇ છે તેમ કહી નકલી નોટ પરત મેળવી ચાલતી પકડી હતી.

જાલીનોટ કૌભાંડનો સુત્રધાર નિકુંજ ભાલોડીયા  ટંકારા તાલુકાના સજ્જનપરનો વતની છે. જો કે તેણે ઘણા સમય પહેલા જ માતા-પિતા, ભાઇઓ સહિતના સ્વજનો સાથેનો ના’તો તોડી નાંખ્યો છે. પોતે ઘણા સમયથી પત્નિ સાથે એકલો રહે છે. હાલમાં તો તે બે મહિનામાં જેટલી નકલી નોટો છાપી એ બધી પોલીસ સમક્ષ રજુ કરી દીધાનું રટણ કરી રહ્યો છે. પરંતુ પોલીસને શંકા છે કે તેણે રાજકોટ સહિત આસપાસમાં કદાચ જાલીનોટો ફરતી કરી દીધી છે.નિકુંજ અને તેની સાથે ઝડપાયેલા વિશાલ ગઢીયા તથા વિશાલ બુધ્ધદેવની કેફીયતમાં કેટલી સત્યતા છે જાણવા પોલીસ ત્રણેયને વિશેષ પુછતાછ માટે રિમાન્ડ પર મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News