મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં પતિને સાત વર્ષને સજા


SHARE













મોરબી જિલ્લાના વાંકાનેરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં પતિને સાત વર્ષને સજા

મોરબી જિલ્લાના વાંકાનેરમાં પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ હતો જેની ફરિયાદ નોંધાઈ હતી અને તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં મૃતક મહિલાના પતિને કોર્ટે સાત વર્ષની સજા ફટકારી છે અને તેના મૃત્યુ પામેલા જેઠને એબેટ કરી જેઠાણી તેમજ જેઠાણીની દીકરીને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડવા મૂકવામાં આવેલ છે

આ કેસની મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના વડિયાના નીતાબેન ગણાત્રાના લગ્ન વર્ષ ૧૯૯૩ માં વાંકાનેરમાં રહેતા રાજુભાઈ ચુનીભાઈ રાજવીર સાથે થાય હતા અને અવાર નવાર પતિ રાજુભાઈ, જેઠ રસિકભાઈ, જેઠાણી જસ્મીનબેન તથા જેઠની દીકરી પૂજા નાની નાની વાતમાં મેણાં ટોણાં મારતા હતા અને ત્રાસ આપતા હતા અને નીતાબેનના પતિ રાજેશભાઈને વાડીમાં કામ કરતી મહિલા તેમજ જેઠાણી જસ્મીતાબેન સાથે આડા સંબંધો હોવાની જાણ થઈ હતી જેથી તેને ત્રાસ આપવામાં આવતો હતો જેથી તે તેના માવતરે જતાં રહ્યા હતા જો કે, ત્યાર બાદ તેના પતિ, જેઠ અને સમાજના આગેવના તેઓના ઘરે આવ્યા હતા અને સારું થઈ જશે તેવી આશા સાથે તેને સાસરે મોકલવામાં આવ્યા હતા અને ફરી તેને ત્રાસ આપવામાં આવતા નિતાબેને ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને પતિ સહિતનાઓની સામે ફરિયાદ નોંધાઈ હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે મોરબીના સરકારી વકીલ સંજયભાઇ દવેએ મૌખિક ૧૮ અને દસ્તાવેજી ૫૦ પુરાવા રજૂ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી પતિ રાજુભાઈ ચુનીભાઈ રાજવીરને સાત વર્ષની સજા ફટકારી છે જો કે, આરોપી જેઠ રસિક ચુનીલાલ રાજવીરનું કેસ ચાલુ હતો દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું અને જેઠાણી જાસ્મીન તેમજ તેની દીકરી પૂજાને કોર્ટે શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુકેલ છે






Latest News