મોરબીના લખધીરપુર રોડ ઉપર કામ દરમિયાન પતરા ઉપરથી નીચે પડતા બે યુવાનો ઈજાગ્રસ્ત
મોરબીમાં રાજપૂત સમાજ બહેન-દીકરીઓ માટે સંસ્કારનું સિંચન-સંસ્કૃતિનું જતન શિબિરનું આયોજન
SHARE
મોરબીમાં રાજપૂત સમાજ બહેન-દીકરીઓ માટે સંસ્કારનું સિંચન-સંસ્કૃતિનું જતન શિબિરનું આયોજન
મોરબીમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા રાજપૂત સમાજની દીકરીઓ માટે સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમ આગામી તા ૨ જૂનના રોજ યોજવાનો છે
મોરબીમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘના હોદેદારોએ માહિતી આપતા જણાવ્યુ છે કે, નવલખી રોડ પર આવેલા ત્રિમંદિર ખાતે આગામી તા. ૨ જૂન ને શુક્રવારે સવારે ૯ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી રાજપૂત સમાજની દીકરીઓ માટે સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજપૂત ક્ષત્રિય સમાજની ૧૪ થી ૨૫ વર્ષની દીકરીઓ તથા નવપરણિત મહિલાઓ ભાગ લઈ શકશે. આ શિબિરમાં રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘના અનુભવી વક્તાઓને માર્ગદર્શન આપવામાં આવશે આ શિબિરમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફી ૫૦ રૂપિયા રાખવામાં આવી છે. અને બહેનો માટે ભોજનની ત્યાં જ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને આ શિબિરનો સમાજના વધુમાં વધુ બહેનો લાભ લે તેવી અપીલ આયોજકો દ્વારા કરવામાં આવી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા સંઘના પ્રદેશ અધ્યક્ષ દશરથબા મહેન્દ્રસિંહ પરમાર, કાર્યકારી અધ્યક્ષ જયશ્રીબા પી. જાડેજા અને પ્રદેશ મહામંત્રી નિતાબા ગોહિલ, મોરબી જિલ્લા મહિલા સંઘના પ્રમુખ જયશ્રીબા મહાવીરસિંહ ઝાલા અને તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે