મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

MORBI TODAY : સો મણનો સવાલ: મોરબીમાં પાલિકા કચેરી તેમજ ફાયર સ્ટેશનના બીલ્ડીંગો જ છે જર્જરિત તેને કોણ આપશે નોટિસ ?


SHARE















MORBI TODAY : સો મણનો સવાલ: મોરબીમાં પાલિકા કચેરી તેમજ ફાયર સ્ટેશનના બીલ્ડીંગો જ છે જર્જરિત તેને કોણ આપશે નોટિસ ?


આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં જર્જરિત ઇમારતો ધરાવતા આસાનીઓને નોટિસ આપવામાં આવી રહી છે જોકે પાલિકાની બિલ્ડીંગો પણ જર્જરીત છે ત્યારે તેને કોણ નોટિસ આપશે ? અને આ જર્જરિત બિલ્ડીંગ ઉતારવાનું કામ કોણ કરશે ? તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે

મોરબી નગરપાલિકાની હદમાં અંદાજે ૭૫ હજાર કરતાં વધુ મિલકતો આવેલી છે જેમાં રહેણાંક અને કોમર્શિયલ સહિતની મિલકતોનો સમાવેશ થાય છે અને તે પૈકીની વર્ષો જૂની ઇમારતોમાંથી ઘણી ઇમારતો જર્જરીત થઈ ગઈ છે અને તેના આસામીઓ મોરબી શહેરની બહાર રહેતા હોય તેવું ઘણી જગ્યાએ જોવા મળે છે જોકે, આ જર્જરીત થઈ ગયેલા બાંધકામને ચોમાસામાં જોખમી કે જીવલેણ બને તેમ છે તો પણ તેને નીચે ઉતારવા માટેની કોઈ તસ્તી આસામીઓ દ્વારા લેવામાં આવતી નથી જેથી કરીને ચોમાસા દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે થઈને નગરપાલિકા દ્વારા આવા જર્જરીત બાંધકામોને ઉતારી લેવા માટે અથવા તોડી પાડવા માટે થઈને આસામીઓને નોટિસ આપવામાં આવી રહી છે

જો કે, એક બાજુ મોરબી નગરપાલિકા દ્વારા મોરબીની અંદર આવેલ જર્જરિત થઈ ગયેલ બાંધકામોને ઉતારી લેવા માટે અથવા તો તોડી પાડવા માટે થઈને નોટિસ આપવામાં આવી રહી છે તો બીજી બાજુ વાત કરીએ તો મોરબી નગરપાલિકાની બિલ્ડીંગમાં પણ છતમાંથી પોપડા પડી રહ્યા છે તેવી જ રીતે ફાયર સ્ટેશનની બાંધકામ પણ જર્જરીત બાંધકામ જેવુ થઈ ગયું છે તેમ છતાં પણ આ જર્જરીત થઈ ગયેલા બાંધકામ અને કાટમાળને ઉતારવા માટેની કોઈ કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી ત્યારે ખાટલે મોટી ખોટ એ કહી શકાય કે અધિકારીઓ આખા ગામમાં બિલ્ડીંગ જોવે છે પરંતુ પોતાની બિલ્ડીંગ જર્જરીત થઈ ગઈ છે તેની કોઈ દરકાર લેવામાં આવતી નથી ત્યારે આ નગરપાલિકાની જર્જરિત બિલ્ડીંગો માટે તેને કોણ નોટિસ આપશે ? તે સવાલ ઊભો થઈ રહ્યો છે

જો અધિકારીઓ દ્વારા પોતાની ઓફિસ અને બિલ્ડિંગની સામે આંખ આડા કાન કરવામાં આવે અને ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના બને તેમાં સરકારી કચેરીમાં ફરજ બજાવતા કોઈ અધિકારી કે કર્મચારી અથવા તો કામ કાજે આવેલ અરજદારને ઇજા થાય અથવા તો જાનહાનિનો બનાવ બને તો તેના માટે જવાબદાર કોણ ? તે સવાલ હાલમાં મોરબીના નગરજનો કરી રહ્યા છે જેથી કરીને મોરબી પાલિકા માત્ર કહેવા પૂરતી કાગળ ઉપર કામગીરી કરવાના બદલે ખરેખર જે કોઈ જર્જરીત બિલ્ડીંગ છે તેના બાંધકામને નીચે ઉતારી લેવા કે પછી તોડી પાડવાની શરૂઆત પાલિકાની કચેરીથી જ કરે તો આખા ગામમાં આવા બાંધકામો વહેલી તકે દૂર કરી શકાશે. palika - fair






Latest News