મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ૫૩ લાખનું આર્થિક કૌભાંડ થયું: ડીડીઓ
મોરબીમાંથી બાળકીના અપહરણના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
SHARE
મોરબીમાંથી બાળકીના અપહરણના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
મોરબીના લખધીરપુર રોડ સોરીસો સિરામીક કારખાનામાંથી બાળકીના અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી અને તે કેસ કોર્ટમાં ચાલી જતાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને આરોપીને નિર્દોષ છોડી દેવાનો કોર્ટે હુકમ કરેલ છે
આ કેસની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લખધીરપુર ગામમાં લખધીરપુર રોડ સોરીસો સિરામીક કારખાનામાંથી તા. ૧૮/૭/૨૦૨૧ ના રોજ કામ કરતાં આશાબેન મુકેશભાઈએ તેમની દોઢ વર્ષની દીકરી આનંદીને ત્યાં કારખાનામાં કામ કરતા હતા તે સમયે મનોજ ટેટીયા નામનો આરોપી અપહરણ કરી લઈ ગયાની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને બાળકી સાથે પકડી લીધેલ હતો અને તેની ચાર્જશીટ રજુ કરેલ હતી જો કે, આઈ.પી.સી. કલમ ૩૬૩ મુજબના ગુનામાં ચાર્જશીટ રજુ થયેલ હતી જેના અનુસંધાને કોર્ટમાં આરોપીના વકીલ મોનીકાબેન એન. સાંગાણી રોકાયેલ હતા અને લાગતા વળગતા સાક્ષીઓની ઉલટ તપાસ કરીને ધારદાર દલીલો રજુ કરેલ હતી જેના અનુસંધાને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી દેવાનો હુકમ કરેલ છે









