મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાંથી બાળકીના અપહરણના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE















મોરબીમાંથી બાળકીના અપહરણના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીના લખધીરપુર રોડ સોરીસો સિરામીક કારખાનામાંથી બાળકીના અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી અને તે કેસ કોર્ટમાં ચાલી જતાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને આરોપીને નિર્દોષ છોડી દેવાનો કોર્ટે હુકમ કરેલ છે

આ કેસની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લખધીરપુર ગામમાં લખધીરપુર રોડ સોરીસો સિરામીક કારખાનામાંથી તા. ૧૮/૭/૨૦૨૧ ના રોજ કામ કરતાં આશાબેન મુકેશભાઈએ તેમની દોઢ વર્ષની દીકરી આનંદીને ત્યાં કારખાનામાં કામ કરતા હતા તે સમયે મનોજ ટેટીયા નામનો આરોપી અપહરણ કરી લઈ ગયાની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને બાળકી સાથે પકડી લીધેલ હતો અને તેની ચાર્જશીટ રજુ કરેલ હતી જો કે, આઈ.પી.સી. કલમ ૩૬૩ મુજબના ગુનામાં ચાર્જશીટ રજુ થયેલ હતી જેના અનુસંધાને કોર્ટમાં આરોપીના વકીલ મોનીકાબેન એન. સાંગાણી રોકાયેલ હતા અને લાગતા વળગતા સાક્ષીઓની ઉલટ તપાસ કરીને ધારદાર દલીલો રજુ કરેલ હતી જેના અનુસંધાને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી દેવાનો હુકમ કરેલ છે






Latest News