ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ૫૩ લાખનું આર્થિક કૌભાંડ થયું: ડીડીઓ


SHARE













મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ૫૩ લાખનું આર્થિક કૌભાંડ થયું: ડીડીઓ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગમાં કરવામાં આવી રહેલા કૌભાંડ સામે આવ્યા છે ત્યારે ડીડીઓ દ્વારા પત્રકારોને માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, અંદાજે ૨૫ થી ૩૦ લાખની રિકવરી કરવામાં આવી છે અને ૫૩ લાખનું કૌભાંડ કરીને સરકારી નાણાની ઉચાપત કરવામાં આવી છે જો કે, જે કર્મચારીઓ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે તેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે

મોરબીના ડીડીઓ ડી.ડી. જાડેજાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ સહિતના બાબતોમાં કૌભાંડ કરવામાં આવ્યું છે અને કૌભાંડની તપાસ સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે જો કે, છેલ્લા દિવસોમાં કૌભાંડીયાઓ પાસેથી અંદાજે ૩૦ લાખ રૂપિયાની રિકવરી પણ કરવામાં આવી છે જો કે, ૫૩ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે અને સરકારી નાણાની ઉચાપત કરેલ છે અને આ કર્મચારીઓ દ્વારા અન્ય વિભાગોમાં પણ કૌભાંડ કરવામાં આવ્યું હોય તેવી શક્યતા છે જેથી કરીને તેની તપાસ કરવામાં આવી રહી છે જો કે, ૫૩ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે તેવું ડીડીઓ કહી રહ્યા છે ત્યારે હવે આ કૌભાંડીઓની સામે કયારે ફરિયાદ નોંધાવવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News