ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ૫૩ લાખનું આર્થિક કૌભાંડ થયું: ડીડીઓ


SHARE













મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ૫૩ લાખનું આર્થિક કૌભાંડ થયું: ડીડીઓ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગમાં કરવામાં આવી રહેલા કૌભાંડ સામે આવ્યા છે ત્યારે ડીડીઓ દ્વારા પત્રકારોને માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, અંદાજે ૨૫ થી ૩૦ લાખની રિકવરી કરવામાં આવી છે અને ૫૩ લાખનું કૌભાંડ કરીને સરકારી નાણાની ઉચાપત કરવામાં આવી છે જો કે, જે કર્મચારીઓ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે તેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે

મોરબીના ડીડીઓ ડી.ડી. જાડેજાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ સહિતના બાબતોમાં કૌભાંડ કરવામાં આવ્યું છે અને કૌભાંડની તપાસ સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે જો કે, છેલ્લા દિવસોમાં કૌભાંડીયાઓ પાસેથી અંદાજે ૩૦ લાખ રૂપિયાની રિકવરી પણ કરવામાં આવી છે જો કે, ૫૩ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે અને સરકારી નાણાની ઉચાપત કરેલ છે અને આ કર્મચારીઓ દ્વારા અન્ય વિભાગોમાં પણ કૌભાંડ કરવામાં આવ્યું હોય તેવી શક્યતા છે જેથી કરીને તેની તપાસ કરવામાં આવી રહી છે જો કે, ૫૩ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે તેવું ડીડીઓ કહી રહ્યા છે ત્યારે હવે આ કૌભાંડીઓની સામે કયારે ફરિયાદ નોંધાવવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News