મોરબીના રામચોક પાસે કુરિયરની ઓફિસમાંથી ૫.૨૦ લાખના મુદામાલની ચોરી
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ૫૩ લાખનું આર્થિક કૌભાંડ થયું: ડીડીઓ
SHARE
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ૫૩ લાખનું આર્થિક કૌભાંડ થયું: ડીડીઓ
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગમાં કરવામાં આવી રહેલા કૌભાંડ સામે આવ્યા છે ત્યારે ડીડીઓ દ્વારા પત્રકારોને માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, અંદાજે ૨૫ થી ૩૦ લાખની રિકવરી કરવામાં આવી છે અને ૫૩ લાખનું કૌભાંડ કરીને સરકારી નાણાની ઉચાપત કરવામાં આવી છે જો કે, જે કર્મચારીઓ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે તેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે
મોરબીના ડીડીઓ ડી.ડી. જાડેજાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ સહિતના બાબતોમાં કૌભાંડ કરવામાં આવ્યું છે અને કૌભાંડની તપાસ સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે જો કે, છેલ્લા દિવસોમાં કૌભાંડીયાઓ પાસેથી અંદાજે ૩૦ લાખ રૂપિયાની રિકવરી પણ કરવામાં આવી છે જો કે, ૫૩ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે અને સરકારી નાણાની ઉચાપત કરેલ છે અને આ કર્મચારીઓ દ્વારા અન્ય વિભાગોમાં પણ કૌભાંડ કરવામાં આવ્યું હોય તેવી શક્યતા છે જેથી કરીને તેની તપાસ કરવામાં આવી રહી છે જો કે, ૫૩ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે તેવું ડીડીઓ કહી રહ્યા છે ત્યારે હવે આ કૌભાંડીઓની સામે કયારે ફરિયાદ નોંધાવવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે









