મોરબીની અવની ચોકડીએ વરસાદી પાણીના નિકાલના કામનું કાંતિલાલ અમૃતિયાના હસ્તે કરાયું ખાતમહૂર્ત
SHARE
મોરબીની અવની ચોકડીએ વરસાદી પાણીના નિકાલના કામનું કાંતિલાલ અમૃતિયાના હસ્તે કરાયું ખાતમહૂર્ત
મોરબીની અવની ચોકડીએ છેલ્લા પાંચ વર્ષથી ચોમાસામાં વરસાદી પાણી ભરવાની સમસ્યા હતી જેના ઉકેલ માટે સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆતો કરી હતી ત્યાર બાદ અવની ચોકડીએ વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે આ કામનું ખાતમુહૂર્ત મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. અને તેમણે જણાવ્યુ હતું કે, ૩૨ લાખના ખર્ચે અવની ચોકડીથી અવની સોસાયટી સુધી ૪૦૦ મીટરમાં પાઇપ લાઇન નાખવામાં આવશે અને દોઢ જ મહિનામાં આ કામ પૂરું થઈ જશે આ તકે માજી ધારાસભ્ય બાનવજીભાઈ મેતલીયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી જયુભા જાડેજા અને બાબુભાઇ હૂંબલ, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડીયા, કે.એસ. અમૃતિયા, મોરબી શહેર ભાજપના મહામંત્રી રિશીપ કૈલા અને ભાવેશ કંઝારિયા, મોરબી પાલિકાના માજી પ્રમુખ કેતન વિલપરા, મોરબી પાલિકાના માજી ચેરમેનો, સભ્યો સહિતના હાજર રહ્યા હતા અને વહીવટીદાર એન.કે. મૂછાર તેમજ ચીફ ઓફિસર ડી.સી. પરમાર સહિતના હાજર રહ્યા હતા