ટંકારાના ઓવરબ્રિજ નીચે નવુ પિકઅપ પોઈન્ટ બનાવવા ધારાસભ્યની સૂચના
માળીયા (મિં)ના મેઘપર ગામના વતની પીએસઆઈ સી.કે.રામાનુજનો વિદાય સમારોહ યોજાયો
SHARE
માળીયા (મિં)ના મેઘપર ગામના વતની પીએસઆઈ સી.કે.રામાનુજનો વિદાય સમારોહ યોજાયો
મોરબી જિલ્લાના માળીયા તાલુકાના મેઘપર ગામના વતની મોરબી વાવડી ગામે રહેતા અને હાલ ભુજ ફરજ બજાવતા પીએસઆઈ ચંદ્રકાંતભાઈ કરસનદાસ રામાનુજ નિવૃત થતા પોલીસ સ્ટાફ દ્વારા માન સમ્માનભેર વિદાય આપવામાં આવી હતી તેઓએ ગુજરાત પોલીસ વિભાગમાં ૩૯ વર્ષ સુધી ફરજ બજાવી જેમા ગોંડલ રાજકોટ, ભચાઉ, પાલનપુર, મોરબી સહિત અલગ અલગ જગ્યાએ ફરજ બજાવી હાલ ભુજ પોલસી હેડ ક્વાટર ખાતે ફરજ બજાવતા ગત તા. ૩૧/૫/૨૦૨૩ના રોજ તેઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયેલ છે ત્યારે સહુ કોઈએ તેને શુભેચ્છાઓ પાઠવી હતી અત્રે ઉલ્લેખનીય છેકે પીએસઆઈ સી.કે.રામાનુજના દીકરી રાધિકાબેન રામાનુજ પણ પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને જોગાનુજોગ કોરોના કાળ દરમિયાન બંને પિતા પુત્રી એક સાથે મોરબી જિલ્લામાં ફરજ બજાવી પોતાના વતનનુ ઋણ ચુકાવી કપરા સમયમાં ફરજ બજાવી હતી









