મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની નર્મદની કેનાલમાં પાણી છોડવા બદલ સીએમનો આભાર: સાંસદ-ધારાસભ્ય


SHARE









મોરબી જિલ્લાની નર્મદની કેનાલમાં પાણી છોડવા બદલ સીએમનો આભાર: સાંસદ-ધારાસભ્ય

મોરબી જિલ્લામાં ખેડૂતોને ખરીફ પાક માટે કેનાલમાં પાણી મળે તેના માટે સાંસદ અને ધારાસભ્યએ રજુઆત કરી હતી. જેને ધ્યાને લઈને હાલમાં સરકારે કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય કરેલ છે જેથી કરીને સાંસદ અને ધારાસભ્યએ રાજ્યના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.

મોરબીમાં રહેતા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ કેનાલમાં પાણી છોડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી અને ત્યાર બાદ મંત્રીમંડળ દ્વારા ૧ જૂનથી ૧૦ હજાર ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં છોડવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેથી કરીને ખેડૂતોને ચોમાસુ પાક લેવા માટે આગોતરું વાવેતર કરવા માટે કેનાલમાંથી પાણી મળશે જેથી કરીને સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો આભાર વ્યક્ત કર્યો છે






Latest News