મોરબી જિલ્લાની નર્મદની કેનાલમાં પાણી છોડવા બદલ સીએમનો આભાર: સાંસદ-ધારાસભ્ય
SHARE
મોરબી જિલ્લાની નર્મદની કેનાલમાં પાણી છોડવા બદલ સીએમનો આભાર: સાંસદ-ધારાસભ્ય
મોરબી જિલ્લામાં ખેડૂતોને ખરીફ પાક માટે કેનાલમાં પાણી મળે તેના માટે સાંસદ અને ધારાસભ્યએ રજુઆત કરી હતી. જેને ધ્યાને લઈને હાલમાં સરકારે કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય કરેલ છે જેથી કરીને સાંસદ અને ધારાસભ્યએ રાજ્યના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.
મોરબીમાં રહેતા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ કેનાલમાં પાણી છોડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી અને ત્યાર બાદ મંત્રીમંડળ દ્વારા ૧ જૂનથી ૧૦ હજાર ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં છોડવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેથી કરીને ખેડૂતોને ચોમાસુ પાક લેવા માટે આગોતરું વાવેતર કરવા માટે કેનાલમાંથી પાણી મળશે જેથી કરીને સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો આભાર વ્યક્ત કર્યો છે