માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી દારૂ અને બિયરની 19,068 બોટલ ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા, મુખ્ય સપ્લાયર સહિત 9 સામે ગુનો નોંધાયો મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ  હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારામાં પંચરોજકામની કોપીના એક લાખ પડાવનાર મહેશ ગોપાણીની આગોતરાનો સોમવારે ફેંસલો


SHARE













ટંકારામાં પંચરોજકામની કોપીના એક લાખ પડાવનાર મહેશ ગોપાણીની આગોતરાનો સોમવારે ફેંસલો

ટંકારાના જબલપુર ગામના ખેડૂતને પોતાની જમીનના પંચરોજકામની કોપીની જરૂરિયાત હતી જેથી સરકારી કચેરીમાં જે ડોક્યુમેન્ટ ન મળ્યું તે વચેટીયાએ એક લાખ રૂપિયા અરજદારને આપ્યું હતું અને આ બાબત સામે આવ્યા પછી વચેટીયા મહેશ ગોપાણીની સામે ટંકારાના ઇન્ચાર્જ મામલતર દ્વારા ઠગાઇ અને વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવવામાં આવી છે જો કે, હજુ સુધી આ ગુનામાં આરોપી પકડાયેલ નથી અને તેની મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી આગોતરા જામીન માટે અરજી મુકેલ છે જેની સુનાવણી થઈ ગયેલ છે અને આગામી તા ૫ ને સોમવારે મહેશ ગોપાણીની આગોતરા જામીન અરજીનો ફેંસલો થશે

ટંકારા તાલુકામાં આવતા જબલપુર ગામે રહેતા પ્રવીણભાઈ ભીમજીભાઇ પરમારને તેની સાથણીમાં મળે જમીનના પંચરોજકામની જરૂર હતી જે ડોક્યુમેન્ટ મેળવવા નિયમ પ્રમાણે ટંકારા મામલતદાર કચેરીમાં અરજી કરી હતી જોકે ટંકારા મામલતદાર કચેરીમાંથી તેને આખી ફાઇલ આપવામાં આવી પરંતુ તેમાં જરૂરી એવું પંચરોજકામ ન હતું જેથી તેનો જમીન વેચાણનો દસ્તાવેજ અટકે તેમ હતું દરમિયાન વચેટીયા દ્વારા પ્રવીણભાઈ ભીમજીભાઇ પરમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને એક લાખ રૂપિયા લઈને આ પંચરોજકામ આપવામાં આવ્યું હતું જેની માહિતી સામે આવતાની સાથે જ તપાસનો આદેશ કરવામાં આવ્યું હતો.

આ મામલે ટંકારાના ઇનચાર્જ મામલતદાર કે.ડી. બુસા  દ્વારા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગત તા ૨૧ ના રોજ મહેશ અવચરભાઈ ગોપાણી રહે. કલ્યાણપર વાળાની સામે વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જો કે, આજ સુધી આ ગુનામાં આરોપી મહેશ ગોપાણી પકડાયેલ નથી અને મહેશ અવચરભાઈ ગોપાણીના વકીલ મારફતે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી આગોતરા જામીન માટે અરજી મૂકવામાં આવેલ છે તેની સુનાવણીમાં આરોપીના વકીલ અને સરકારી વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને આગામી તા ૫ ને સોમવારે મહેશ અવચરભાઈ ગોપાણીની આગોતરા જામીન માટેની અરજીનો ફેંસલો કરવામાં આવશે






Latest News