માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી દારૂ અને બિયરની 19,068 બોટલ ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા, મુખ્ય સપ્લાયર સહિત 9 સામે ગુનો નોંધાયો મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ  હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાએલ લોક દરબારમાં લુખ્ખાગીરી-દારૂડીયાના ત્રાસની રાવ


SHARE













મોરબી જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાએલ લોક દરબારમાં લુખ્ખાગીરી-દારૂડીયાના ત્રાસની રાવ

મોરબી જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાએલ લોક દરબારમાં સ્થાનીક લોકો દ્રારા લુખ્ખાગીરી-દારૂડીયાના ત્રાસની રાવ કરવામાં આવી હતી. રજૂઆતમાં રહેવાસીઓએ દારૂડીયાઓના ત્રાસ, ફુલસ્પીડે નીકળતા બાયકરનો ત્રાસને હલ કરવા તેમજ વીસીપરા વિસ્તારમાં સારી પોલીસ ચોકી આપવા તેમજ વિસ્તારમાં સીસીટીવી લગાવવા રજુઆત કરાઇ હતી.

મોરબી રણછોડનગરમાં આવેલ સાંઈબાબા મંદિર ખાતે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો જેમાં મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોને સંબોધન કરતા જણાવ્યુ કે જીવનની સુરક્ષા માટે બાઈક પર હેલ્મેટ અચૂક પહેરો, દિવસે દિવસે વધી રહેલા સાયબર ક્રાઇમને ઘટાડવા માટે અજાણી એપ્લિકેશનનો ઉપયોગ ન કરો તેમજ કોઈને પણ ફોન પર તમારા બેંકની વિગતો ન આપો તેમજ જો કોઈ પણ પ્રકારના વ્યાજ વટાવના દૂષણમાં ફસાઈ ગયા હોય તો પોલીસની મદદ લઈ તેમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરો જેમાં પોલીસ તમામ જાતની મદદરૂપ થશે, ટ્રાફિકના નિયમોનું પાલન કરી ટ્રાફિક સમસ્યાથી દૂર રહો તેમજ જો નાના બાળકો મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે તો અચૂક ધ્યાન રાખો કે કઈ પ્રકારની મોબાઇલમાં એક્ટિવિટી કરી રહ્યા છે કઈ પ્રકારની એપ્લિકેશનને વાપરી રહ્યા છે જેથી કરીને બાળકોમાં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓ તેમજ મોબાઇલને થતા ગેરલાભો કે બચી શકાય.

આ લોક દરબારની અંદર રણછોડનગર, શાંતિવન સોસાયટી, સુમરા સોસાયટી, વિજયનગર, ભીમરાવનગર, રોહીદાસ પરા, લાઇન્સનાગર સહિતના આજુબાજુના વિસ્તારના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ સમયે જાગૃત નાગરિકો દ્વારા આ વિસ્તારની અંદર ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓ દારૂનું દુષણને ડામવા એસપીને રજૂઆત કરી હતી તેમજ વીસીપરા વિસ્તાર બહુ મોટો લાંબો હોવાથી વિસ્તારની મધ્યસ્થ પોલીસ ચોકી આપવાની પણ માંગ કરી હતી અને વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે સીસીટીવી કેમેરા મુકવા પણ રજૂઆત કરી હતી તદઉપરાંત વિસ્તારમાંથી કુલ સ્પીડ જતા બાયકરને રોકવા માટે પણ પોલીસને જણાવવામાં આવ્યું હતું. તેમજ આ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ રોડ, પાણી, લાઈટ અને ભૂગર્ભ સમસ્યાઓની પણ ફરિયાદો કરેલ.આ લોક દરબારમાં જિલ્લા પોલીસવાડા રાહુલ ત્રિપાઠી સાથે બી ડિવિઝન પી.આઇ.દેકાવડિયા વીસીપરા બીટ જમાદાર વશરામભાઈ આહીર, હિતેશભાઈ મકવાણા તેમજ પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો






Latest News