મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીની દુકાનમાંથી અખાદ્ય ગોળના ૧૧ ડબ્બા-૧૧ લાટા સાથે એક પકડાયો


SHARE









મોરબીની દુકાનમાંથી અખાદ્ય ગોળના ૧૧ ડબ્બા-૧૧ લાટા સાથે એક પકડાયો

મોરબીના લોહાણાપરા વિસ્તારમાં આવેલ દુકાનમાં અખાદ્ય ગોળનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી ૧૧ ડબ્બા અખાદ્ય ગોળ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

સામાન્ય રીતે અખાદ્ય ગોળનો ઉપયોગ દેશી દારૂ બનાવવા માટે કરવામાં આવતો હોય છે જેથી કરીને દેશી દારૂના દૂષણને ડામવા માટે સમયાંતરે જુદી જુદી જગ્યા ઉપર રેડ કરીને અખાદ્ય ગોળના જથ્થાને પકડવામાં આવે છે તેવી જ રીતે મોરબીના લોહાણાપરા શેરી નંબર-૨ માં રહેતા અને દુકાન ધરાવતા યુવાનને ત્યાં અખાદ્ય ગોળનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેથી કરીને ત્યાં ચેક કરવામાં આવતા દુકાનમાંથી અખાદ્ય ગોળના ૧૧ ડબ્બા તથા ૧૧ લાટા મળી આવ્યા હોય પોલીસે કુલ મળીને ૩૩૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રાજેશભાઈ ધીરજલાલ મીરાણી જાતે લોહાણા (૪૭) રહે.લોહાણાપરા શેરી નં-૨ વાળાની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

દવા પી જતા નવોઢા સારવારમાં

હળવદ તાલુકાના માથક ગામે રહેતી હિનાબેન કલ્પેશભાઈ મનજીભાઈ મકવાણા નામની ૨૩ વર્ષીય નવપરણીતાતા ઘરે ઝેરી દવા પી ગઈ હતી જેથી તેણીને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને સારવાર કર્યા બાદ પોલીસને જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ અને રાઈટર હસુભાઈ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી જેમાં ખુલ્યુ હતું કે હિનાબેન પરિવાર સાથે વાડી વિસ્તારમાં રહેતી હોય અને ભૂલથી દવાવાળા ડબલામાં પાણી પી લેતા તેઓને અસર થઈ હતી જેને લીધે તેઓને સારવારમાં ખસેડવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ વાડી વિસ્તારમાં રહેતો અબ્રાહમ અબ્દુલભાઇ ચાનીયા (ઉમર ૩૩) નામનો યુવાન ઇજાગ્રસ્ત થતા તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યુ હતુ કે લીલાપર રોડ ઉપર આવેલ આવાસ યોજનાના ત્રીજા માટેથી કોઈ કારણોસર તે નીચે પડી જતા તેને સારવાર માટે દવાખાને લવાયો હતો..!






Latest News