મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપૂત સમાજ બહેન-દીકરીઓ માટે સંસ્કારનું સિંચન-સંસ્કૃતિનું જતન શિબિર યોજાઇ


SHARE









મોરબીમાં રાજપૂત સમાજ બહેન-દીકરીઓ માટે સંસ્કારનું સિંચન-સંસ્કૃતિનું જતન શિબિર યોજાઇ

મોરબીમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા રાજપૂત સમાજની દીકરીઓ માટે સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંગેની મોરબી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘના હોદેદારોએ માહિતી આપતા જણાવ્યુ છે કેમોરબીના નવલખી રોડ પર આવેલા ત્રિમંદિર ખાતે આગામી ગઇકાલે સવારે ૯ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી રાજપૂત સમાજની દીકરીઓ માટે સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજપૂત ક્ષત્રિય સમાજની ૧૪ થી ૨૫ વર્ષની દીકરીઓ તથા નવપરણિત મહિલાઓએ ભાગ લીધો હતો અને આ શિબિરમાં રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘના અનુભવી વક્તાઓએ માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા સંઘના પ્રદેશ અધ્યક્ષ દશરથબા મહેન્દ્રસિંહ પરમારકાર્યકારી અધ્યક્ષ જયશ્રીબા પી. જાડેજા અને પ્રદેશ મહામંત્રી નિતાબા ગોહિલમોરબી જિલ્લા મહિલા સંઘના પ્રમુખ જયશ્રીબા મહાવીરસિંહ ઝાલા અને તેની ટીમ જહેમત ઉઠાવી હતી






Latest News