મોરબીમાં જન્મદિવસે રક્તદાન કરી પ્રેરણા પૂરી પાડી
SHARE
મોરબીમાં જન્મદિવસે રક્તદાન કરી પ્રેરણા પૂરી પાડી
મોરબીના રહેવાસી ઉમરભાઈ ઉર્ફે રિયાઝભાઈ રાઠોડનો આજ તા.૩ જુનના રોજ જન્મદિવસ હોય તેઓએ પોતાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કર્યું હતું અને રક્તદાન કરીને પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. કોઈને કોઈ કારણોસર બીમાર લોકોને રક્તની જરૂરિયાતો ઊભી થતી હોય છે તેવા સમયે પોતાનું રક્ત કોઈનું જીવન બચાવી શકે તેવા ઉદેશથી રક્તદાન કરાતું હોય છે તેથી મોરબીના ઉમરભાઈ રાઠોડ દ્વારા પોતાના જન્મદિવસે રક્તદાન કરવામાં આવ્યું હતું.ઉમરભાઈ રાઠોડ મોરબી વિનાયક હોન્ડાના શોરૂમમાં મેનેજર તરીકે કામકાજ કરતા હોય અને અન્યને પણ પ્રેરણા મળે તે નિમિત્તે તેઓએ પોતાના જન્મદિવસે રક્તદાન કર્યું હતું.