ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિનની ઉજવણી નિમિતે ધારાસભ્યની હાજરીમાં મસાલ રેલી યોજાઇ


SHARE













મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિનની ઉજવણી નિમિતે ધારાસભ્યની હાજરીમાં મસાલ રેલી યોજાઇ

મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિનની ઉજવણી કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી હતી અને શહેરના જુદાજુદા વિસ્તારમાં શુક્રવારે પગપાળા, કાર અને બાઈક સાથે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના આગેવાનો જોડાયા હતા એક રેલી મોરબીમાં ઉમા ટાઉનશિપ પાસેથી નીકળી હતી જે ત્યની સોસાયટીમાં ફરીને મહારાણા પ્રતાપ સર્કલે પૂરી કરવામાં આવી હતી અને બીજી રેલી એસપી રોડકુળદેવી પાનક્રિષ્ના સ્કૂલબોની પાર્કવર્ધમાન એપાર્ટમેન્ટઆલાપ રોડવજેપર મેઇન રોડશિવાજી મહારાજ સર્કલજેલ રોડ,વાઘપરા મેઇન રોડસ્વામી વિવેકાનંદ રોડરાજકોટ નાગરિક બેંકઘનશ્યામ માર્કેટનીલકંઠ સ્કૂલનરસંગ ટેકરી મંદિર થઈને કેપિટલ માર્કેટ ખાતે પૂરી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અત્રે ઉલેખનીય છે કે, છત્રપતિ શિવાજી મહારાજના સ્વરાજ્યના ૩૫૦ વર્ષ થઈ રહ્યા છે ત્યારે હિન્દુ સ્વરાજ્યનો પાયો નાખનાર હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યભિષેક દિવસને હિન્દુ સામ્રાજ્ય દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેના ભાગ રૂપે મસાલ રેલી યોજાઇ હતી






Latest News