માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

વાંકાનેર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા: જૂનાગઢની ઘટનામાં આરોપીઓને કડક સજાની માંગ


SHARE













વાંકાનેર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા: જૂનાગઢની ઘટનામાં આરોપીઓને કડક સજાની માંગ

વાંકાનેર ઠાકોર સેના અને સમાજે જૂનાગઢમાં જે ઘટના બની છે તેને ઠાકોર સેનાએ સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને વાંકાનેર મામલતદાર અને મોરબી કલેક્ટરને આવેદન આપી સમાજની દીકરી ઉપર હેવાનીયત ભર્યું કૃત્ય કરનાર નરાધમોને કડકમાં કડક સજા આપવાની માંગ કરી છે વાંકાનેર ઠાકોર સેના  અને સમાજે કલેક્ટર આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, જૂનાગઢમાં સમાજની દીકરી ઉપર નરાધમોએ હેવાનીયતની હદ વટાવી દુષ્કર્મ આચરી સળગાવી નાખી નિર્મમ હત્યા કરી નાખી હતી. જેમાં મુખ્ય આરોપી સૂરજ સોલંકી ઉર્ફે સૂરજ ભુવો સહિતના આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હોય આ આરોપીઓ ધાર્મિક અને રાજકીય ઓથ ધરવતા હોય તેથી રાજકીય ઓથ મળે તેવી ભીતિ હોય સમાજની દીકરીને ન્યાય મળે તે માટે આ બનાવની તસથ તપાસ કરી જઘન્ય કૃત્ય કરનાર આવા નરાધનોને ફાંસીની સજા આપવાની માંગ કરી છે.






Latest News