મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના સતવારા સમાજની વર્ષો જૂની પ્રથાને જાળવી રાખતી યુવા પેઢી


SHARE















મોરબીના સતવારા સમાજની વર્ષો જૂની પ્રથાને જાળવી રાખતી યુવા પેઢી

મોરબીના માધાપર અને માધાપર વાડી વિસ્તારમાં રહેતા સતવારા સમાજના જે યુવાનોને છેલ્લા એક વર્ષમાં લગ્ન થયા હોય તે તમામ યુવાનો એકો સાથે દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે મોરબીના માધાપર વિસ્તારમા આવેલ રામજી મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે તેવી જ રીતે વિક્રમ સવંત ૨૦૭૮ ભીમ અગિયારસથી વિક્રમ સવંત ૨૦૭૯ ભીમ અગિયારસ સુધીના વર્ષ દરમિયાન માધાપર અને માધાપર વાડી વિસ્તારમાં વસવાટ કરતા સતવારા સમાજના જે દીકરાઓના લગ્ન થયા હતા તે તમામ વરરાજાઓ વર્ષો જૂની પરંપરા મુજબ જેઠ સુદ પૂનમને રવિવારે સામૂહિક દર્શન કરવા માટે આવ્યા હતા અને રામચંદ્રના દર્શન કરીને પોતાના સુખી દાંપત્યજીવનની કામના કરી હતી અને ત્યારે રામજી મંદિર સતવારા જ્ઞાતિ ટ્રસ્ટ તરફથી દરેક વરરાજાઓના દાંપત્ય જીવનમાં સદાય એકબીજા પ્રત્યે પ્યાર અને વિશ્વાસની ધારા કાયમ વહેતી રહે અને તમામનું દાંપત્ય જીવન ખુશીઓથી મહેકતું રહે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા આ તકે ટ્રસ્ટીઓ ધર્મેન્દ્રભાઈ કંઝારીય, ડાયાભાઈ ડાભી, શાંતિલાલભાઈ સોનગ્રા, પ્રેમજીભાઈ પરમાર સહિતના હાજર રહ્યા હતા






Latest News