અનોખો પર્યાવરણ પ્રેમ: મોરબીના નિવૃત આરએફઓએ ૫૦ ગામને હરિયાળા બનાવ્યા
મોરબીના સતવારા સમાજની વર્ષો જૂની પ્રથાને જાળવી રાખતી યુવા પેઢી
SHARE
મોરબીના સતવારા સમાજની વર્ષો જૂની પ્રથાને જાળવી રાખતી યુવા પેઢી
મોરબીના માધાપર અને માધાપર વાડી વિસ્તારમાં રહેતા સતવારા સમાજના જે યુવાનોને છેલ્લા એક વર્ષમાં લગ્ન થયા હોય તે તમામ યુવાનો એકો સાથે દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે મોરબીના માધાપર વિસ્તારમા આવેલ રામજી મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે તેવી જ રીતે વિક્રમ સવંત ૨૦૭૮ ભીમ અગિયારસથી વિક્રમ સવંત ૨૦૭૯ ભીમ અગિયારસ સુધીના વર્ષ દરમિયાન માધાપર અને માધાપર વાડી વિસ્તારમાં વસવાટ કરતા સતવારા સમાજના જે દીકરાઓના લગ્ન થયા હતા તે તમામ વરરાજાઓ વર્ષો જૂની પરંપરા મુજબ જેઠ સુદ પૂનમને રવિવારે સામૂહિક દર્શન કરવા માટે આવ્યા હતા અને રામચંદ્રના દર્શન કરીને પોતાના સુખી દાંપત્યજીવનની કામના કરી હતી અને ત્યારે રામજી મંદિર સતવારા જ્ઞાતિ ટ્રસ્ટ તરફથી દરેક વરરાજાઓના દાંપત્ય જીવનમાં સદાય એકબીજા પ્રત્યે પ્યાર અને વિશ્વાસની ધારા કાયમ વહેતી રહે અને તમામનું દાંપત્ય જીવન ખુશીઓથી મહેકતું રહે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા આ તકે ટ્રસ્ટીઓ ધર્મેન્દ્રભાઈ કંઝારીય, ડાયાભાઈ ડાભી, શાંતિલાલભાઈ સોનગ્રા, પ્રેમજીભાઈ પરમાર સહિતના હાજર રહ્યા હતા









