મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

નવલખી રોડના કપાતની સ્પષ્ટતા નહીં કરવામાં આવે તો લુંટાવદર ગામના લોકો કરશે આંદોલન


SHARE













નવલખી રોડના કપાતની સ્પષ્ટતા નહીં કરવામાં આવે તો લુંટાવદર ગામના લોકો કરશે આંદોલન

નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા નવલખી રોડની કપાત નક્કી કરવામાં આવી છે જો કે, કેટલી કપાત આવશે ?, કેટલું વળતર આપવામાં આવશે ? તેની કોઈ ચોખવાટ કરવામાં આવી નથી જેથી કરીને હાલમાં લુંટાવદર ગામના લોકોએ આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જો વાંધાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ગામના લોકો દ્વારા ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે

મોરબી તાલુકાનાં લુંટાવદર ગામના લોકોએ આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, લુંટાવદર પાસેથી નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા હાઇવે રોડની કપાત કરવામાં આવનાર છે ત્યારે જે ખેડૂતોની જમીન કાપાઈ છે તે તમામ ખેડૂતો દ્વારા વાંધા અરજી આપવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, NHAI દ્વારા હાઇવે કાઢો છો. જેની એક કિલોમિટર સમકક્ષ એરીયામા અગાઉથી જ મોરબી-નવલખી હાઇવે આવેલ છે. જે ર લેન છે. તથા સરકાર દ્વારા ૪ લેન પાસ થઇ ગયેલ છે. અને લુંટાવદર ગામ પાસે ખેતી લાયક ઉપજાઉ કપાત જમીન ૨૬-૮૯-૨૯ હૈ-આરે છે. જે બહુ જ વધારે કહેવાય જેના લીધે ઘણા બધા ખેડૂતોને આર્થિક નુકશાન થાય તેમ છે અને જે જમીન કપાઈ છે તેમાં કેટલી જમીન કપાય છે ? તેનું લીસ્ટ ૧૦ દીવસમાં આપવાની માંગ કરવામાં આવી છે તેમજ જે જમીનની કાપત છે તેની સામે વળતર શું આપવામાં આવશે ? અને હાલમાં જે હાઇવે છે ત્યાં બીજા કોઇ નવા હાઇવેની જરૂરીયા નથી અને જો સરકાર ગામના લોકોની વાંધા અરજીને ધ્યાને લઈને કોઇ નીરાકરણ નહીં કરે તો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે ગામના લોકો દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News