મોરબી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા વડાપ્રધાન મોદીના સુશાસનના નવ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા વડાપ્રધાન મોદીના સુશાસનના નવ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કાર્યક્રમ યોજાયો
મોરબી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા વડાપ્રધાન મોદીના સુશાસનના નવ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે ધન્વંતરિ ભવન, શનાળા રોડ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના સુશાસનના નવ વર્ષ પૂર્ણ થયા છે. મોદીસાહેબના સેવા, સુશાસન, ગરીબ-કલ્યાણ, કાર્ય નવીનતા અને અટલ દ્રઢ નિશ્ચય કેન્દ્રમાં રાખી નિર્ણયો લઈને સમગ્ર દેશની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, જેની ઉજવણીના ભાગરૂપે મોરબી સિનિયર સીટીઝન કાઉન્સિલ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સવારે ૧૦ વાગ્યે સિનિયર સીટીઝન સભ્યોની સામાન્ય સભા રાખવામાં આવી હતી ત્યારબાદ ૧૦:૩૦ વાગ્યે પ્રોફેસર અનિલભાઇ કંસારાની 'જીવન સંધ્યાનો આનંદ' ઉપર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ બપોરે ૧૨વાગ્યે મનહરભાઇ કગથરા તરફથી પ્રીતી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને મોરબી સિનિયર સીટીઝન કાઉન્સિલને '૯ સાલ ૯ કમાલ' સ્મૃતિચિન્હ તરીકે ઘડિયાળ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. ત્યારે મોરબી સિનિયર સીટીઝન કાઉન્સિલના પ્રમુખ ર્ડો.બી. કે. લહેરૂ તેમજ મંત્રી મહેશભાઈ ભટ્ટ, એડવોકેટ જગદીશભાઇ ઓઝા દ્વારા આ ત્રિવિધ કાર્યક્રમમાં પધારેલ સર્વે અતિથિ મહાનુભાવો અને સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નરેન્દ્રભાઈ મહેતાએ જહેમત ઉઠાવી હતી.