મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં માજી મંત્રીએ ખાતમહુર્ત કરેલ રોડના અધૂરા કામ પૂરા કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













મોરબીમાં માજી મંત્રીએ ખાતમહુર્ત કરેલ રોડના અધૂરા કામ પૂરા કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીમાં રાજકોટથી ૮-અ નેશનલ હાઈવે, બાય પાસથી લીલાપર સુધીનો  કેનાલની બીજી બાજુના રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જે કામ હજુ પણ અધૂરું છે અને જે જગ્યાએ કામ કરવામાં આવ્યું છે ત્યાં રોડ તૂટવા લાગેલ છે ત્યારે વહેલી તકે કામ કરવામાં આવે અને જલ્દી કામ પૂરું કરવામાં આવે તેના માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે,  જુદાજુદા રોડનું કામ મોરબી નગર પાલિકા દ્વારા ચાલુ કરવામાં આવેલ હતું જેનું ખાતમહુર્ત ત્યારના મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા કરવામાં આવેલ હતું. પરંતુ આ રોડનું કામ ખુબ જ નબળી ગુણવતાનું છે ઘણી જગ્યાએ રોડ તૂટી જવા પામેલ છે. અને હાલમાં ભીમાણી પ્રોવિઝન સ્ટોર પાસે રીપેરીંગ પણ કરવામાં આવેલ છે. પરંતુ આ રોડનું કામ હજુ પૂરું થયેલ નથી. ઘણી જગ્યાઓએ કામ અધૂરું છોડી દેવામાં આવેલ છે. અને ઘણું કામ હજુ બાકી પણ છે. અને કરેલ કામ તૂટી જવા પામેલ છે. તેનું દરેક જગ્યાએ રીપેરીંગ પણ કરવામાં આવેલ નથી અને આ અધૂરા અને નબળા કામ પર  હાલમાં જયારે કામો  પુરા નથી થયા તો પણ પુરા થયા પછી. જે  રીતે સફેદ પટા મારવામાં આવેલ છે તેવા પટા મારવામાં આવેલ છે. એટલે કે હવે આ બાકી કામો કરવાના નથી તેવું દેખાઈ રહ્યું છે ત્યારે અધૂરું કામ જલ્દી પૂરું કરવામાં આવે અને જ્યાં નબળું કામ થયેલ છે. ત્યાં ફરીથી કરવામાં આવે કે રીપેરીંગ કવામાં આવે  અને આ રોડ લીલાપરથી બાયપાસ સુધી લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવે તેવી માંગ કરી છે






Latest News