મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં માજી મંત્રીએ ખાતમહુર્ત કરેલ રોડના અધૂરા કામ પૂરા કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત


SHARE









મોરબીમાં માજી મંત્રીએ ખાતમહુર્ત કરેલ રોડના અધૂરા કામ પૂરા કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીમાં રાજકોટથી ૮-અ નેશનલ હાઈવે, બાય પાસથી લીલાપર સુધીનો  કેનાલની બીજી બાજુના રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જે કામ હજુ પણ અધૂરું છે અને જે જગ્યાએ કામ કરવામાં આવ્યું છે ત્યાં રોડ તૂટવા લાગેલ છે ત્યારે વહેલી તકે કામ કરવામાં આવે અને જલ્દી કામ પૂરું કરવામાં આવે તેના માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે,  જુદાજુદા રોડનું કામ મોરબી નગર પાલિકા દ્વારા ચાલુ કરવામાં આવેલ હતું જેનું ખાતમહુર્ત ત્યારના મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા કરવામાં આવેલ હતું. પરંતુ આ રોડનું કામ ખુબ જ નબળી ગુણવતાનું છે ઘણી જગ્યાએ રોડ તૂટી જવા પામેલ છે. અને હાલમાં ભીમાણી પ્રોવિઝન સ્ટોર પાસે રીપેરીંગ પણ કરવામાં આવેલ છે. પરંતુ આ રોડનું કામ હજુ પૂરું થયેલ નથી. ઘણી જગ્યાઓએ કામ અધૂરું છોડી દેવામાં આવેલ છે. અને ઘણું કામ હજુ બાકી પણ છે. અને કરેલ કામ તૂટી જવા પામેલ છે. તેનું દરેક જગ્યાએ રીપેરીંગ પણ કરવામાં આવેલ નથી અને આ અધૂરા અને નબળા કામ પર  હાલમાં જયારે કામો  પુરા નથી થયા તો પણ પુરા થયા પછી. જે  રીતે સફેદ પટા મારવામાં આવેલ છે તેવા પટા મારવામાં આવેલ છે. એટલે કે હવે આ બાકી કામો કરવાના નથી તેવું દેખાઈ રહ્યું છે ત્યારે અધૂરું કામ જલ્દી પૂરું કરવામાં આવે અને જ્યાં નબળું કામ થયેલ છે. ત્યાં ફરીથી કરવામાં આવે કે રીપેરીંગ કવામાં આવે  અને આ રોડ લીલાપરથી બાયપાસ સુધી લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવે તેવી માંગ કરી છે






Latest News