મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણેય કેનાલોમાં પાણી છોડવામાં આવતા સરકારનો આભાર
SHARE
મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણેય કેનાલોમાં પાણી છોડવામાં આવતા સરકારનો આભાર
રાજ્ય સરકાર દ્વારા નર્મદાની મોરબી, માળીયા અને ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. જો કે આ ત્રણેય કેનાલોમાં પાણી ચાલુ કરવા માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા અને દુલર્ભજીભાઈ દેથરીયા તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના ભાજપ અગ્રણીઓએ રજુઆત કરી હતી અને ખેડૂતોના આગોતરા વાવેતર માટે મોરબી જિલ્લાની ત્રણેય કેનાલોમાં ચાલુ કરી દીધું છે. જેથી કરીને આગોતરું ખરીફ પાકનું વાવેતર કરતાં ખેડૂતોને ફાયદો થશે જેથી કરીને ધારાસભ્યો દ્વારા મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો અને ખેડૂતોને સાથે રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લાના પ્રભારીમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે