મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક માણાબાના રેલવે પાટા પાસેથી બાઈકની ચોરી


SHARE













માળીયા (મી) નજીક માણાબાના રેલવે પાટા પાસેથી બાઈકની ચોરી

માળીયા મીયાણા નજીક આવેલ માણાબાના રેલવે પાટા પાસે ઘોડા ધ્રોઈ બ્રિજ નીચે યુવાને તેનું બાઇક પાર્ક કરીને મૂક્યું હતું તે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાન દ્વારા હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ અમદાવાદ જિલ્લાના કઠવાડાના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રેલવે ક્વાર્ટર નંબર ૧૯ માં રહેતા રીંકલભાઈ મહેશભાઈ પ્રજાપતિ જાતે કુંભાર (૩૨) એ અજાણ્યા શખ્સની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, માણાબા રેલવે પાટા પાસે બ્રિજ નંબર ૧૪૩ નીચે તેણે પોતાનું બાઈક નંબર જીજે ૨૭ એ ૦૮૮૯ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૫૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી યુવાને સિટીઝન પોર્ટલ ઉપર ઓનલાઈન એફઆઈઆર નોંધાવતા માળિયા મીયાણા તાલુકા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે મકનસર ગામે રહેતા સુધીર મગનભાઈ ઝીંઝુવાડીયા નામના ૩૫ વર્ષના યુવાનને મકનસર ગામે કોઈ બાબતે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેના લીધે તેને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે જાણ થવાથી તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

યુવતી સારવારમાં
મોરબીના છાત્રાલય રોડ ઉપર ધર્મવિજય સોસાયટીમાં રહેતી ગાર્ગીબેન રૈયાણી નામની ૧૭ વર્ષની યુવતીને વાહન અકસ્માતમાં ઈજા થતા અત્રે ડો.હેમલ પટેલ હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવી હતી.પોલીસના જણાવ્યા પ્રમાણે ગાર્ગીબેન રૈયાણી નામની યુવતી છાત્રાલય રોડ ઉપરથી જતી હતી ત્યાં રસ્તામાં તેનું વાહન સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હોય તેણીને ઈજા થતા દવાખાને ખસેડાઇ હતી.એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News