મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી: માનસિક બિમાર-બહેરાશ ધરાવતા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન


SHARE













મોરબી: માનસિક બિમાર-બહેરાશ ધરાવતા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન

મોરબીમાં માનસિક બિમાર અને બહેરાશ ધરાવતા ૭૭ વર્ષના વૃદ્ધ મહિલા જેશર, જિલ્લો ભાવનગરથી ગત તા. ૬ જૂનના રોજ મોરબી આવી ગયા હતા. રાત્રે ૮ કલાકે મોરબી બસ સ્ટેન્ડથી મળી આવતા ૧૮૧ મારફતે સખી વન સ્ટોપ મોરબી ખાતે લાવવામાં આવ્યા હતા. બીજા દિવસે સવારે વૃદ્ધા અંબાબેન ચૌહાણનું કાઉન્સિલીંગ કરાતા તેઓ સાંભળી શકતા નથી તેવી ખબર પડી હતી.પરંતુ વૃદ્ધાને વારંવાર કાઉન્સિલીંગ કરતાં તેમની પાસેથી જાણવા મળ્યું હતું કે, તેઓને ૨ દીકરા છે જે સુરત ખાતે રહે છે. એલ્ડર હેલ્પલાઈન ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમાર દ્વારા તેમના દીકરાઓનો સંપર્ક કરી તેમને બોલાવવામાં આવ્યા હતા. જે અન્વયે આજરોજ તા. ૮/૬/૨૦૨૩ ના રોજ સવારે  મહિલા SHE team અને સખી વન સ્ટોપ સેન્ટર-મોરબીને સાથે રાખી વૃદ્ધાનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું હતું. પરિવારે સૌનો આભાર માન્યો હતો






Latest News