મોરબીમાં સંસ્કારધામ મંદિર દ્વારા આયોજિત કથાનો સાંસદ સહિતના નગરજનોએ લાભ લીધો
મોરબીના જેતપર ગામે ભાગવતનું આયોજન
SHARE
મોરબીના જેતપર ગામે ભાગવતનું આયોજન
મોરબીના જેતપર (મચ્છુ) ગામે આગામી સમસ્ત ગોપી મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે
મ્રોબી તાલુકાનાં જેતપર (મચ્છુ) ગામે હરિધામ, ઓત્રદા જાપે, ટાવરની બાજુમાં તા ૯ થી ૧૫ જૂન શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે અને ૯ જૂનને શુક્રવારના રોજ બપોરે ૪ કલાકે શિવ મંદિરથી કથા મંડપ સુધી પોથીયાત્રા યોજાશે. ત્યાર બાદ ૯ થી ૧૫ તારીખ સુધી દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ વાગ્યા સુધી કથા યોજાશે. અને ત્યારે કથાકાર મયુરભાઈ ઠાકર શ્રોતાઓને તેની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ કથામાં ધાર્મિક પ્રસંગો જેમાં નૃસિંહ પ્રાગટ્ય, ગોવર્ધન લીલા, કૃષ્ણ જન્મ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર વગેરે ઉજવવામાં આવશે જેથી કરીને ગામના તમામ લોકો તેમજ ધર્મપ્રેમી લોકોને આ કથાનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે