મોરબીના એરપોર્ટનું કામ સ્તવરે ચાલુ કરવા દુર્લભજીભાઈ દેથારિયાની રજૂઆત
મોરબીમાં સંસ્કારધામ મંદિર દ્વારા આયોજિત કથાનો સાંસદ સહિતના નગરજનોએ લાભ લીધો
SHARE
મોરબીમાં સંસ્કારધામ મંદિર દ્વારા આયોજિત કથાનો સાંસદ સહિતના નગરજનોએ લાભ લીધો
મોરબીના શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર આયોજીત શ્રી હરી યુવા જ્યોત શ્રી સંસ્કારધામ દ્વારા ગુરૂઋણ મુક્તિ મહોત્સવ અંતર્ગત શ્રીમદ્દ ભાગવત કથાનું ભવ્ય આયોજન તા.૧ થી ૭ સુધી કરવામાં આવ્યું હતું અને રાત્રે ૯ થી ૧૧:૩૦ રવાપર ઘુનડા રોડ સનસીટી ગ્રાઉન્ડ ખાતે આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કથાના વક્તા શાસ્ત્રી જગતપ્રકાશદાસજી સ્વામી દ્વારા હરિભક્તો સહિતના નગરજનોને કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું આ કથા મંદિરના મહંત પ્રેમપ્રકાશદાસજીના માર્ગદર્શન હેઠળ આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથામાં સંતો મહંતો હાજર રહ્યા હતા તેમજ સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના મોરબીના નગરજનો અને ખાસ કરીને હરિભક્તોએ આ કથાનો લાભ લીધો હતો અને કથાના વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવામાં આવ્યા હતા