મોરબીના નારણકા ગામના બજરંગ ધૂન મંડળે કિર્તન કરીને બે લાખનું કર્યું દાન
SHARE
મોરબીના નારણકા ગામના બજરંગ ધૂન મંડળે કિર્તન કરીને બે લાખનું કર્યું દાન
મોરબી તાલુકાનાં નારણકા ગામના બજરંગ ધૂન મંડળ દ્વારા ૧૦ વર્ષથી નિસ્વાર્થ ભાવે ભજન ધુન કરવામાં આવે છે અને જયા વાયક આવે ત્યા જાય છે. અને જે રકમ આવે તેને સેવા કાર્યમાં વાપરે છે હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા દંપતીએ મંડળને અમદાવાદ સિવિલ હોસ્પિટલ વિશેની વાત કરી હતી અને આ ટિફિન સેવામાં સહયોગ આપવા માટે બજરંગ ધૂન મંડળના કાર્યકર્તાઓએ તૈયારી કરી હતી
આ બજરંગ ધુન મંડળમાં જે પણ કંઈ આવક આવશે તે તમામ આવક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટને અર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો ત્યાર બાદ બજરંગ ધૂન મંડળ લગભગ બે મહિનામાં ૧.૯૫ લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા અને આ રકમ સેવામાં આપવામાં આવેલ છે નારણકા ગામબ બજરંગ ધૂન મંડળ દ્વારા આવવા જવા માટેનો કોઈપણ ખર્ચ લેવામાં આવતો નથી અને જે કંઈ યોગદાન આવે છે તે તમામ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટને અર્પણ કરે છે આ બજરંગ ધૂન મંડળમાં કાંતિભાઈ શીવાભાઈ સુરાણી, મેરજા મનસુખભાઈ દેવજીભા, મેરજા ભરતભાઈ છગનભાઈ, મેરજા કિરીટભાઈ અરજણભાઈ, મયંક અશોકભાઈ મેરજા, સગરામભાઇ અણદાભાઈ રબારી, મનસુખભાઈ કાનજીભાઈ મોરડીયા, દેવરાજભાઈ પ્રેમજીભાઈ મેરજા, નરભેરામભાઈ ટપુભાઈ મેરજા, ચુનીભાઇ લાલજીભાઈ મેરજા, જસમતભાઈ દેવજીભાઈ કારોલીયા, બીપીનભાઈ ચતુરભાઈ દાવા, હરિલાલ ભટ્ટ સહિતના જોડાયેલ છે.









