મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાંજા સાથે બીજી વખત પકડાયેલ શખ્સનો જામીન ઉપર છુટકારો


SHARE









વાંકાનેરમાં ગાંજા સાથે બીજી વખત પકડાયેલ શખ્સનો જામીન ઉપર છુટકારો

મોરબીના વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય પહેલા રેડ પડી હતી અને તેમાં  અગાઉ ગાંજાના જથ્થા સાથે પકડાયેલ શખ્સ બીજી વખત ગાંજાના જથ્થા સાથે પકડાયો હતો ત્યાર બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ગુનો નોંધાયો હતો જેમાં આરોપીના વકીલે કરેલી દલીલોના અંતે કોર્ટ દ્વારા આરોપીને હાલ જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે

આ સમગ્ર કેસ બાબતે મોરબીના જાણીતા એડવોકેટ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા)એ માહિતી આપતા જણાવ્યું હતું કે, વાંકાનેર ના સીટી પોલીસ સ્ટેશનની હદમાં થોડા સમય પહેલા એનડીપીએસ એક્ટ ૧૯૮૫  ની કલમ ૮ (સી) ૨૦ (૨)(એ) મુજબ ફરિયાદ નોંધાઈ હતી અને જેમાં આરોપી તરીકે નુરમહંમદ હાજી મકવાણાને ૨૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે પાન બીડીની દુકાનેથી પકડવામાં આવ્યો હતો અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એડીપીએસનો ગુનો નોંધાયો હતો અગાઉ પણ આ શખ્સ ગાંજા સાથે પકડાયો હતો અને ત્યારબાદ આરોપી બીજી વખત ગાંજા સાથે પકડવામાં આવ્યો હતો અને તેના સામે ગુનો દાખલ થયા બાદ મોરબીની સેશન્સ કોર્ટમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પી.સી. જોશીની કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો જેમાં આરોપી તરફેથી જામીન ઉપર મુક્ત થવા માટે આરોપીએ તેના વકીલ મનીષભાઈ પી. ઓઝા મારફતે રેગ્યુલર જામીન મેળવવા અરજી દાખલ કરી હતી અને આરોપીના વકીલ મનીષભાઈ પી. ઓઝાની દલીલો અને હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈને મોરબીની સેશન્સ કોર્ટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પી.સી. જોશી દ્વારા આરોપી નૂરમહંમદ હાજી મકવાણા રહે. વાંકાનેર વાળાને રૂપિયા ૧૦૦૦૦ ના રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો. આરોપી તરફેથી એડવોકેટ મનીષભાઈ પી. ઓઝા રોકાયેલા હતા






Latest News