મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાંજા સાથે બીજી વખત પકડાયેલ શખ્સનો જામીન ઉપર છુટકારો


SHARE















વાંકાનેરમાં ગાંજા સાથે બીજી વખત પકડાયેલ શખ્સનો જામીન ઉપર છુટકારો

મોરબીના વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય પહેલા રેડ પડી હતી અને તેમાં  અગાઉ ગાંજાના જથ્થા સાથે પકડાયેલ શખ્સ બીજી વખત ગાંજાના જથ્થા સાથે પકડાયો હતો ત્યાર બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ગુનો નોંધાયો હતો જેમાં આરોપીના વકીલે કરેલી દલીલોના અંતે કોર્ટ દ્વારા આરોપીને હાલ જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે

આ સમગ્ર કેસ બાબતે મોરબીના જાણીતા એડવોકેટ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા)એ માહિતી આપતા જણાવ્યું હતું કે, વાંકાનેર ના સીટી પોલીસ સ્ટેશનની હદમાં થોડા સમય પહેલા એનડીપીએસ એક્ટ ૧૯૮૫  ની કલમ ૮ (સી) ૨૦ (૨)(એ) મુજબ ફરિયાદ નોંધાઈ હતી અને જેમાં આરોપી તરીકે નુરમહંમદ હાજી મકવાણાને ૨૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે પાન બીડીની દુકાનેથી પકડવામાં આવ્યો હતો અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એડીપીએસનો ગુનો નોંધાયો હતો અગાઉ પણ આ શખ્સ ગાંજા સાથે પકડાયો હતો અને ત્યારબાદ આરોપી બીજી વખત ગાંજા સાથે પકડવામાં આવ્યો હતો અને તેના સામે ગુનો દાખલ થયા બાદ મોરબીની સેશન્સ કોર્ટમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પી.સી. જોશીની કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો જેમાં આરોપી તરફેથી જામીન ઉપર મુક્ત થવા માટે આરોપીએ તેના વકીલ મનીષભાઈ પી. ઓઝા મારફતે રેગ્યુલર જામીન મેળવવા અરજી દાખલ કરી હતી અને આરોપીના વકીલ મનીષભાઈ પી. ઓઝાની દલીલો અને હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈને મોરબીની સેશન્સ કોર્ટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પી.સી. જોશી દ્વારા આરોપી નૂરમહંમદ હાજી મકવાણા રહે. વાંકાનેર વાળાને રૂપિયા ૧૦૦૦૦ ના રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો. આરોપી તરફેથી એડવોકેટ મનીષભાઈ પી. ઓઝા રોકાયેલા હતા






Latest News