મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શાળા પ્રવેશોત્વ નહીં ઉજવાઇ: ૬૬૪ કુમાર-૬૬૨ કન્યાને ધો.૧માં અપાશે પ્રવેશ


SHARE







મોરબી જિલ્લામાં શાળા પ્રવેશોત્વ નહીં ઉજવાઇ: ૬૬૪ કુમાર-૬૬૨ કન્યાને ધો.૧માં અપાશે પ્રવેશ

વાવાઝોડાને ધ્યાનમાં રાખીને સરકારે જે છ જીલ્લામાં વાવાઝોડાની અસર થાય તેવી શક્યતા છે તે જીલ્લામાં શાળા પ્રવેશોત્વ નહીં ઉજવાઇ તેવો નિર્ણય કરેલ છે જેથી કરીને મોરબી જીલ્લામાં પણ શાળા પ્રવેશોત્વ ઉજવાશે નહીં જો કે, જીલ્લામાં ૬૬૪ કુમાર અને ૬૬૨ કન્યાને ધો.૧માં પ્રવેશ આપવામાં આવશે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે

રાજ્યામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા કાર્યક્રમ યોજીને સરકારી શાળામાં બાળકોને સારી સુવિધા મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે સરકારના આ પ્રયાસો થકી મોરબીમાં શિક્ષણક્ષેત્રે ક્રાંતિ આવી છે મોરબી જિલ્લામાં આ વર્ષે ધોરણ ૧માં પ્રવેશ મેળવનાર બાળકોમાં કન્યાઓની સંખ્યા કુમાર જેટલી જ છે. અહીં સરકારનો કન્યા કેળવણીનો અભિગમ મોરબીમાં સાર્થક બનતો દેખાઈ રહ્યો છે. મોરબીમાં ૬૬૪ કુમાર અને ૬૬૨ કન્યા મળી કુલ ૧૩૨૬ બાળકો ધોરણ ૧માં પ્રવેશ મેળવનાર છે. જો કે, વાવાઝોડાની અસરને ધ્યાને રાખીને હાલમાં જીલ્લામાં શાળા પ્રવેશોત્સવનું આયોજન રદ કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં તે કાર્યક્રમ યોજાશે જો કે, હાલમાં બાળકોને સરકારી શાળામાં પ્રવેશ આપી દેવામાં આવશે તેવી અધિકારી જણાવ્યુ છે 






Latest News