મોરબી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવથી ડ્રોપ આઉટ રેશીયોમાં નોંધપાત્ર ઘટાડો
મોરબી જિલ્લામાં શાળા પ્રવેશોત્વ નહીં ઉજવાઇ: ૬૬૪ કુમાર-૬૬૨ કન્યાને ધો.૧માં અપાશે પ્રવેશ
SHARE
મોરબી જિલ્લામાં શાળા પ્રવેશોત્વ નહીં ઉજવાઇ: ૬૬૪ કુમાર-૬૬૨ કન્યાને ધો.૧માં અપાશે પ્રવેશ
વાવાઝોડાને ધ્યાનમાં રાખીને સરકારે જે છ જીલ્લામાં વાવાઝોડાની અસર થાય તેવી શક્યતા છે તે જીલ્લામાં શાળા પ્રવેશોત્વ નહીં ઉજવાઇ તેવો નિર્ણય કરેલ છે જેથી કરીને મોરબી જીલ્લામાં પણ શાળા પ્રવેશોત્વ ઉજવાશે નહીં જો કે, જીલ્લામાં ૬૬૪ કુમાર અને ૬૬૨ કન્યાને ધો.૧માં પ્રવેશ આપવામાં આવશે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે
રાજ્યામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા કાર્યક્રમ યોજીને સરકારી શાળામાં બાળકોને સારી સુવિધા મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે સરકારના આ પ્રયાસો થકી મોરબીમાં શિક્ષણક્ષેત્રે ક્રાંતિ આવી છે મોરબી જિલ્લામાં આ વર્ષે ધોરણ ૧માં પ્રવેશ મેળવનાર બાળકોમાં કન્યાઓની સંખ્યા કુમાર જેટલી જ છે. અહીં સરકારનો કન્યા કેળવણીનો અભિગમ મોરબીમાં સાર્થક બનતો દેખાઈ રહ્યો છે. મોરબીમાં ૬૬૪ કુમાર અને ૬૬૨ કન્યા મળી કુલ ૧૩૨૬ બાળકો ધોરણ ૧માં પ્રવેશ મેળવનાર છે. જો કે, વાવાઝોડાની અસરને ધ્યાને રાખીને હાલમાં જીલ્લામાં શાળા પ્રવેશોત્સવનું આયોજન રદ કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં તે કાર્યક્રમ યોજાશે જો કે, હાલમાં બાળકોને સરકારી શાળામાં પ્રવેશ આપી દેવામાં આવશે તેવી અધિકારી જણાવ્યુ છે