માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસેથી અજાણ્યા વૃધ્ધની લાશ મળી


SHARE

















મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે પેગવીન સીરામીક નજીકથી અજાણ્યા ૬૫ વર્ષના વૃદ્ધનો મૃત હાલતમાં મળી આવ્યો હતો આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતકની બોડીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી અને મૃતકની ઓળખ મેળવવા માટેની તજવીજ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી 

 

જાણવા મળતી વિગત મુજબ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે પેગવીન સિરામિક નજીક અજાણ્યા ૬૫ વૃદ્ધનું કોઈ કારણસર મૃત્યુ  થયુ હોય તેની લાશ પડી હોવા અંગેની માવજીભાઈ પ્રજાપતિએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વૃદ્ધના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મૃતક વૃધ્ધની ઓળખ મેળવવા માટે થઈને મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી હતી 

 

યુવતી ગુમ

 

વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા લક્ષ્મીબેન દેવજીભાઈ વાઘેલા (ઉમર ૨૦) ગત તારીખ ૧૦/૯ ના રોજ પોતાના ઘરેથી વાંકાનેર મિટિંગમાં જવાનું છે તેવું કહીને રંગપર ગામના પીક-અપ બસ સ્ટેન્ડથી ગયા હતા ત્યારબાદ તેઓ હજુ સુધી ઘરે પરત આવેલ નથી જેથી કરીને લક્ષ્મીબેનના પિતા દેવજીભાઈ હીરાભાઈ વાઘેલા (ઉંમર વર્ષ ૫૦) એ હાલમાં પોતાની દીકરી ગુમ થઈ હોવા અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News