મોરબીના પંચાસર રોડે કારને રિવર્સમાં લેતા સમયે બાળકીના પગ ઉપર ફેરવી દીધી
મોરબીના શનાળા ગામે યુવાન અને તેની બે દીકરીઓને ચાર શખ્સોએ માર માર્યો
SHARE
મોરબીના શનાળા ગામે યુવાન અને તેની બે દીકરીઓને ચાર શખ્સોએ માર માર્યો
મોરબી નજીકના શનાળા ગામે મંદિર પાસે રહેતો યુવાન અને તેની બે દીકરીઓ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ચાર શખ્સો દ્વારા ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો તથા ગાળો આપવામાં આવી હતી જેથી કરીને યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધવામા આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના શનાળા ગામે મંદિર પાસે રહેતા અમરશીભાઈ પુંજાભાઈ સોલંકી (૪૦) એ હાલમાં પ્રશાંત વાઘેલા, નિખિલ વાઘેલા, સિધ્ધરાજ વાઘેલા અને ધવલ વાઘેલા રહે ચારેય સનાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યૂ છે કે, તે સાંજના સમયે પોતાની બે દીકરીઓ ગીતાબેન અને મનિષાબેન સાથે શનાળા ગામે મંદિર પાસે વણકરવાસમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી પ્રશાંત વાઘેલા અને સિધ્ધરાજ વાઘેલા તેને સામે મળ્યા હતા અને ત્યાં ફરિયાદીને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી અને બાદમાં નિખિલ વાઘેલા અને ધવલ વાઘેલા ત્યાં આવ્યા હતા અને તેઓના હાથમાં રહેલા ધોકા વડે તેને ફરિયાદી યુવાનને માર માર્યો હતો તેમજ તેને બચાવવા માટે ત્યાં વચ્ચે પડેળ તેની બંને દીકરીઓને પણ માર મારવામાં આવ્યો હતો તેમજ ગાળો આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









