માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના યમુનાનગરમાં બંધ મકાનમાંથી દાગીના-રોકડ મળીને ૫૦ હજારના મુદામાલની ચોરી


SHARE

















મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં યમુનાનગર શેરી નંબર-૫ માં રહેતા પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરના તાળાં તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ કબાટનું તાળું તોડીને તેમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ મળીને ૫૦ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલી મહિલાએ બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ યમુનાનગર શેરી નંબર-૫ માં રહેતા વૃતિબેન મુકેશભાઈ વિઠવણી જાતે લોહાણા (ઉમર વર્ષ ૨૫)ના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તેના દરવાજાનાં તાળાં તોડયા બાદ ઘરમાં પ્રવેશ કરીને લાકડાના કબાટની તિજોરીને તોડવામાં આવી હતી અને તેમાંથી સોનાનો એક ચેન અને સોનાની બે બુટ્ટી આમ કુલ મળીને સોનાના દાગીના તેમજ રોકડ પાંચ હજાર આમ કુલ રૂપિયા ૫૦૦૦૦ના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે જેથી કરીને પોલીસે ભોગ બનેલ મહિલાની ફરિયાદ લઈને હાલમાં ચોરને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News