મોરબીમાં કલેકટરના જાહેરનામાના પગલે તા.૧૩ થી તમામ સિરામિક કારખાનાઓ બંધ કરવા એસોસિએશનની તાકીદ
SHARE
મોરબીમાં કલેકટરના જાહેરનામાના પગલે તા.૧૩ થી તમામ સિરામિક કારખાનાઓ બંધ કરવા એસોસિએશનની તાકીદ
આગામી વાવાઝોડાની સ્થિતીને ધ્યાને લઈને મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દ્રારા મીટીંગ યોજાઈ જેમા દરેક ઉઘોગકારને સુચના આપવામાં આવી હતી અને જણાવ્યું હતુ કે, કલેકટર દ્રારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ છે તેમા જણાવ્યા મુજબ તા.૧૩ ના સાંજના સાત વાગ્યાથી દરેક ઉદ્યોગકારોએ પોતપોતાના પ્લાન્ટ બંધ કરી દેવા અને તા.૧૨ ની રાતથી લોડિંગ તેમજ અનલોડિંગ તમામ કામગીરી સંપૂર્ણ બંધ કરી દેવી તેમજ મજૂરોને સલામત સ્થળોએ છત વાળી રૂમમાં રાખવા છતવાળી રૂમ ન હોય તો આજુબાજુની સ્કૂલમાં સલામત જગ્યાએ સ્થળાંતર કરાવી દેવું તેમજ તકેદારી રૂપે જે જરૂરી લાગતું હોય તે પોતપોતાને કંપનીમાં ધ્યાન આપવું.દરેકે પોતપોતાના પ્લાન્ટ આવતી કાલ તા.૧૩ થી સદંતર બંધ કરી દેવા તેમ તમામ ઉદ્યોગકારોને મોરબી સિરામિક મેન્યુફેક્ચર એસોસિયેશનના હોદેદારોએ સુચના આપી હતી.