મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમ પ્રકરણ બાબતે આત્મહત્યા કરવાનો વિચાર કરતી સગીરાને ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમ ઘરે પહોંચાડી


SHARE













મોરબીમાં પ્રેમ પ્રકરણ બાબતે આત્મહત્યા કરવાનો વિચાર કરતી સગીરાને ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમ ઘરે પહોંચાડી

મોરબીમાં તા.૧૨-૬ ના રોજ વહેલી સવારે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોઇ જાગૃત નાગરિક દ્વારા ફોન કરવામાં આવેલ કે મોરબી જુના બસ સ્ટેશન એક પીડિત યુવતી આત્મહત્યા કરવા જાય છે.તેમને બચાવીને બેસાડી રાખેલ છે.પરંતુ હજુ પણ મરી જવાનું કહે છે.તેથી પીડિત સગીરાને ૧૮૧ ટીમની મદદ ની જરૂર છે જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સિલર ભુવા જાગૃતિબેન મહિલા, કોન્સ્ટેબલ પરમાર જ્યોત્સનાબેન તેમજ પાયલોટ રાજભાઈ ઘટના સ્થળે સગીરાની મદદ માટે પહોંચ્યા હતાં સગીરાને ત્યાંનાં લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતી. યુવતી સાથે ૧૮૧ ની ટીમે વાતચીત કરતા કાઉન્સેલિગ દરમિયાન મારે મરી જવું છે વારંવાર એક જ શબ્દ બોલતા હતા ૧૮૧ ની ટીમ દ્વારા શાંતિપૂર્વ વાતચીત કરી આશ્વાશન આપી વિશ્વાસ આપવામાં આવેલ.

ત્યારબાદ આપઘાતના પ્રયાસ અંગે પુછતા પીડિત સગીરાએ જણાવ્યું કે તેને એક પુરુષ સાથે પ્રેમ સંબંધ છે તેમજ સગીરાનેએ પુરુષ સાથે લગ્ન કરવા હોય અને તેમના માતા-પિતા લગ્નની ના પાડતા હોય તેથી સગીરા છેલ્લા કેટલાક દિવસથી ઘરે લગ્નની જીદ કરતી હતી પરંતુ સગીરાના માતા-પિતા લગ્ન કરાવવા તૈયાર ન હોવાથી સગીરાને મનમાં લાગી આવતા તેમને આત્મહત્યા કરવાનો વિચાર કરી ઘરમાંથી મધ્ય રાત્રીના સમયે નીકળી ગયેલ અને મોરબી જુના બસસ્ટેશન પહોંચેલા.૧૮૧ ટીમે સગીરાને આત્મહત્યાનું પગલું નહીં ભરવા બાબતે સમજાવેલ અને તેમના ભાઈને ફોન કરીને બોલાવેલ તેમના ભાઈને સમજાવેલ કે સગીરા આગળ દિવસમાં કોઈ પગલું ન ભરે તેનું ધ્યાન રાખવાનું જણાવેલ.સગીરાને સાંત્વના આપેલ અને મોટીવેટ કરેલ અને જરુર પડે તો ૧૮૧ નો સંપર્ક કરવાનું કહેલ અને સગીરાને કુશળ કાઉન્સિલિંગ દ્વારા ક્યાંરેય આત્મહત્યા ન કરવા બાબતે લાંબી સમજાવટ આપેલ આમ સગીરાએ આત્મહત્યાનો વિચાર નહીં કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને રાજી-ખુશીથી તેના પરિવાર સાથે જવાનું કહેલ. સગીરાના ભાઈ અને તેમના કાકીએ ૧૮૧ ની ટીમનો આભાર માન્યો હતો.






Latest News