મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા
Breaking news
Morbi Today

નવલખી પાસેના મીઠાના કારખાનામાં કામ કરતાં અગરીયા માટે કારખાનેદારે કરેલ વ્યવસ્થાથી શ્રમિકોને સંતોષ


SHARE













નવલખી પાસેના મીઠાના કારખાનામાં કામ કરતાં અગરીયા માટે કારખાનેદારે કરેલ વ્યવસ્થાથી શ્રમિકોને સંતોષ

મોરબી જિલ્લાના નવલખી બંદરની આસપાસના વિસ્તારમાં આવેલ મીઠાના અગરમાં તથા કારખાનામાં કામ કરતા શ્રમિકો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા તેઓને કારખાનેદારો દ્વારા કરવામાં આવી છે અને પાકા મકાનમાં તમામ શ્રમિકોને ખસેડી દેવામાં આવ્યા હોવાથી હાલમાં તેઓ સુરક્ષિત છે અને કારખાનેદારોએ જે વ્યવસ્થા કરી છે તેને લઈને શ્રમિકો દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે

મીઠાના અગરમાં કાળઝાળ ગરમીમાં ઉનાળામાં કામ કરીને મીઠું પકવતા અગરિયાઓ અને તેના પરિવારજનોને નવલખી બંદર ઉપર વાવાઝોડાની જે સંભવિત અસર છે તેને ધ્યાનમાં રાખીને સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી જેથી કરીને નવલખી બંદર પાસેના વિસ્તારમાં જુદા જુદા મીઠાના અગરમાં કામ કરતા તેમજ મીઠાના કારખાનામાં કામ કરતા શ્રમિકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે

ત્યારે જયદીપ સોલ્ટ મીઠાનું કારખાનું ધરાવતા કારખાનેદાર દ્વારા પોતાના શ્રમિકો કોઈ પણ રીતે હેરાન ન થાય તેની પૂરેપૂરી તકેદારી રાખીને પાકા બાંધકામમાં શ્રમિકોને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને મોરબીને પીપળીયા ચોકડી પાસે પાકા બાંધકામ આવેલા છે ત્યાં શ્રમિકોને રહેવા માટેની અને જમવા માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે તેની સાથો સાથ મીઠાના અગરમાં અને કારખાનામાં ઉપયોગમાં લેવામાં આવતા ટ્રેક્ટર, ડમ્પર સહિતના વાહનોને પણ ત્યાં સલામત રીતે રાખવામાં આવ્યા છે હાલમાં મીઠાના કારખાનેદારો દ્વારા જે વ્યવસ્થા શ્રમિકો માટે કરી આપવામાં આવી છે તેને લઈને શ્રમિકોએ પણ સંતોષની લાગણી વ્યક્ત કરી છે અને હાલમાં તેઓ સુરક્ષિત છે






Latest News