નવલખી પાસેના મીઠાના કારખાનામાં કામ કરતાં અગરીયા માટે કારખાનેદારે કરેલ વ્યવસ્થાથી શ્રમિકોને સંતોષ
મોરબીના નવલખી બંદરે હાલમાં તોફાન પહેલાની ચીર શાંતિ હોય તેવો ઘાટ
SHARE
મોરબીના નવલખી બંદરે હાલમાં તોફાન પહેલાની ચીર શાંતિ હોય તેવો ઘાટ
બીપર જોય વાવાઝોડાની અસર મોરબી જિલ્લામાં પણ થવાની છે ત્યારે આજે બપોર પછી વાવાઝોડા ની શક્યતાઓ સેવાઈ રહી છે જો કે, નવલખી બંદર પાસેના વિસ્તારમાં હાલમાં તોફાન પહેલાની શાંતિ હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે અને માછીમારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોય સમગ્ર વિસ્તાર સૂમસામ બની ગયો છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીના નવલખી બંદર પાસે આવેલ જુમાવાડી વિસ્તારની અંદર રહેતા ૮૦૦ થી વધુ માછીમારો દ્વારા દરિયામાં ૧૨૩ જેટલી બોટ લઈ જઈને માછીમારી કરવામાં આવતી હોય છે અને માછીમારી થાકી ત્યાં રહેતા અંદાજે ૧૧૦૦ થી વધુ લોકોનો જીવન નિર્વાહ ચાલતો હોય છે જોકે વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખીને માછીમારીને પ્રવૃત્તિ છેલ્લા ઘણા દિવસોથી બંધ કરાવી દેવામાં આવી છે અને માછીમારોનું સ્થળાંતર પણ કરાવી દેવામાં આવી છે ત્યારે જુમાવાળી વિસ્તાર સુમસામ બની ગયો છે અને ત્યાં રહેતા માછીમારોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે જોકે, નવલખીના દરિયા કાંઠે હાલમાં તોફાન પહેલાની શાંતિ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને દરિયાકાંઠે હાલમાં તમામ બોટને લાંગરી દેવામાં આવી છે તેમજ દરિયો પણ હાલમાં સાંત જોવા મળી રહ્યો છે પરંતુ હવામાન ખાતાની આગાહી મુજબ મોરબીને ઓરેન્જ એલર્ટમાં રાખવામાં આવ્યું હોય વાવાઝોડાની અસરના કારણે ભારે પવન ફૂંકાય અને ભારે વરસાદ પડે તેવી શક્યતા હોય તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવેલ છે