ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના ગુનામાં ફરાર આરોપીને એલસીબીએ પકડી પાડ્યો


SHARE













મોરબીમાં દારૂના ગુનામાં ફરાર આરોપીને એલસીબીએ પકડી પાડ્યો

મોરબીના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં દારૂનો ગુનો નોંધાયો હતો.તે ગુનામાં છેલ્લા કેટલાક સમયથી આરોપી ફરાર હતો જેને એલસીબીના સ્ટાફે પકડી પડ્યો છે.

રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા ફરાર આરોપીઓને પકડી પાડવા સુચના કરવામાં આવી હોય મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુનામાં ફરાર આરોપીઓને પકડી પડવા સૂચના આપી હતી.દરમિયાનમાં મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાનમાં એલસીબી પેરોલફર્લો ટીમના જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને બાતમી મળેલ કે, મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં ફરાર આરોપી સાજીદ ઉર્ફે સાજલો અબ્દુલભાઇ સુમરા રહે.વીસીપરા મસ્જીદ વાળી શેરીમાં વાળો હાલે તેના રહેણાંક મકાન વાળી શેરીમાં ઉભેલ હોવાની હકીકત મળતા પોલીસે ત્યાં રેડ કરીને દારૂના ગુનામાં ફરાર આરોપી સાજીદ ઉર્ફે સાજલો અબ્દુલભાઇ સુમરા જાતે સંધી (ઉમર ૨૫) રહે.વીસીપરા મસ્જીદ વાળી શેરી મળી આવતા તેને પકડીને હાલ બી ડિવિઝન પોલીસ હવાલે કર્યો હતો.

કેમિકલ પી જતા સારવારમાં

મોરબીના વાંકાનેરમાં આવેલા જીનપરા વિસ્તારમાં રહેતી અવનીબેન હિતેશભાઈ દલસાણીયા (૨૫) નામની મહિલા ઘરે કોઈ કારણોસર ટર્પેન્ટાઈન પી ગઈ હતી જેથી કરીને તેણીને સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલએ લાવવામાં આવી હતી.મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને આ અંગે વાંકાનેર સિટી પોલીસને જાણ કરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના માધાપર શાક માર્કેટ પાસેથી બાઈક લઈને જતા બે યુવાનોના બાઇકની આડે કૂતરો ઉતરતા બંને યુવાનો નીચે પટકાયા હતા જે બનાવમાં ધરમશીભાઈ હીરાભાઈ (ઉમર ૫૨) અને દશરથજી રાઘુજી ઠાકોર (ઉમર ૧૮) રહે.બંને પાટણ વાળાઓને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા






Latest News