મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના માજી ચેરમેન અને તેના દીકરાએ આધેડને માર માર્યો, ગુનો નોંધાયો


SHARE















મોરબી પાલિકાના માજી ચેરમેન અને તેના દીકરાએ આધેડને માર માર્યો, ગુનો નોંધાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી આગળના ભાગે જેલ ચોકની સામે આવેલ વિસ્તારમાં મકાન ઉપર પાણી છાંટતા સમયે પાણી ઉડે છે તેમ કહીને મહિલાએ બોલાચાલી કરી હતી અને આધેડને ગાળો આપી હતી અને ત્યારબાદ મહીલાના દીકરાએ લોખંડના પાઇપ વડે આધેડને માર મારીને ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે હાલમાં મોરબી પાલીકાના માજી ચેરમેન તેમજ તેમના દિકરાની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાતા હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેલચોકની સામેના વિસ્તારમાં રહેતા મનોજભાઈ નાનજીભાઈ ગોહેલ (ઉમર ૫૦) એ હાલમાં એડિવિઝન ખાતે ભાનુબેન ચંદુભાઈ નગેવાડીયા અને મૌલિક ચંદુભાઈ નગેવાડીયા રહે. બંને જેલચોક સામે મોરબી વાળાઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યું છે કે, ફરિયાદી મનોજભાઇનું મકાનનું બાંધકામ ચાલુ હોય પોતે પોતાના મકાનમાં પાણી છાંટતા હતા ત્યારે પાડોસમાં રહતા આરોપીઓએ પાણી ઉડે છે તેમ કહીને પહેલા ભાનુબેન નગેવાડીયાએ બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ત્યારબાદ તેમના દિકરા મૌલિક નગેવાડીયાએ લોખંડના પાઇપ વડે મનોજભાઇને માથા અને શરીરે માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલા આધેડને સારવાર માટે ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં મનોજભાઇએ પાલીકાના માજી ચેરમેન ભાનુબેન નગેવાડીયા અને તેના દીકરા મૌલિક નગેવાડીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે જેની આગળની તપાસ જયપાલસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

ઈજાગ્રસ્ત બાળકી સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર સત્યમ હોલ પાસે રહેતા કાનજીભાઈ બાલુભાઈ ભીલની પાંચ વર્ષની દીકરી સંગીતાને વાહન અકસ્માતમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી પોલીસના જણાવ્યા પ્રમાણે સંગીતા કાનજીભાઈ ભીલ નામની પાંચ વર્ષની બાળકી ભાભા ઘરઘંટીની નજીક રમતી હતી ત્યારે ત્યાં ગાડીવાળાએ તેને હડફેટે લેતા પગના ભાગે ઇજા થતાં સારવાર માટે ખસેડાઈ હતી હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઇ ચાવડાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે અકસ્માતનો બીજો બનાવ મોરબીના શનાળા-કંડલા બાયપાસ હાઈવે ઉપર શક્તિમાતાના મંદિર નજીક બન્યો હતો. જ્યાં બાઇક સ્લીપ થઈ જતા ઇજા પામેલા ભવ્ય વિજયભાઈ હાંસલીયા (ઉંમર ૧૨) રહે.ખજુરડા રાજકોટ વાળાને ઇજાઓ થતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

વૃદ્ધ સારવારમાં

મોરબીના ઝુલતાપુલ સામે દરબારગઢ નજીક રહેતા વણુંભાઈ ડોડીયાર નામના ૫૫ વર્ષના વૃદ્ધ સાયકલ લઈને આલાપ રોડ ઉપર સ્મશાન નજીકથી જતા હતા ત્યારે ત્યાં કોઈ અજાણ્યા રીક્ષા ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની સદભાવના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી બનાવ અંગે એ ડિવિઝનના એચ.એમ.ચાવડાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.






Latest News