મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના સુલતાનપુર ગામે તાજી જન્મેલ બાળકીને ત્યજી દેનાર મહિલા સામે ગુનો નોંધાયો


SHARE















માળીયા (મી)ના જુના સુલતાનપુર ગામે તાજી જન્મેલ બાળકીને ત્યજી દેનાર મહિલા સામે ગુનો નોંધાયો

માળીયા મીંયાણા તાલુકાના જુના સુલતાનપુર ગામે પ્રાથમિક શાળાની પાછળથી ત્યજી દેવામાં આવેલ તાજી જન્મેલ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને આ અંગેની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં પોલીસે અજાણી સ્ત્રીની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના જુના સુલતાનપુર ગામે આંગણવાડી પાસે રહેતા બહાદુરભાઈ શંકરભાઈ સનુરા જાતે કોળી (૩૩) એ અજાણી સ્ત્રીની સામે હાલમાં મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, જુના સુલતાનપુર ગામે આવેલ પ્રાથમિક શાળાની પાછળના ભાગમાં કોઈ અજાણી સ્ત્રી તેની તાજી જન્મેલ બાળકીનો મૃતદેહ ત્યજીને નાશી ગયેલ છે જેથી કરીને પોલીસે આ અંગેની ફરિયાદ લઈને અજાણી સ્ત્રીની સામે ગુનો નોંધી તાજી જન્મેલ બાળકીને મૃત હાલતમાં ત્યજીને નાશી ગયેલ મહિલાને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે.

ઝેરી જનાવર કરડી જતા સારવારમાં

મોરબીના ચાર માળીયા લીલીપર રોડ ખાતે રહેતા જીતેન્દ્રભાઈ લધુરામ પરમાર નામના ૩૨ વર્ષના યુવાનને મોરબીના વાંકાનેર હાઇવે સરતાનપર રોડ ઉપરના સુકુન પ્લસ નામના કારખાના નજીક ગઈકાલ સાંજે કોઈ ઝરી જનાવર કરડી જતા તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જે અંગે નોંધ થતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરાયેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબી તાલુકાના ખાનપર ગામના રહેવાસી વજીબેન દેવજીભાઈ રૈયાણી નામના ૮૧ વર્ષના વૃદ્ધાને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે તેઓ વાહનમાં બેસીને ખાનપરથી મોરબી આવતા હતા ત્યારે શનાળા બાયપાસ ઓવરબ્રિજ નજીક તેઓ વાહનમાંથી અકસ્માતે નીચે પડી જતા ઇજા પામતા તેમને સારવારમાં ખસેડાયા હતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News