મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના સુલતાનપુર ગામે તાજી જન્મેલ બાળકીને ત્યજી દેનાર મહિલા સામે ગુનો નોંધાયો


SHARE







માળીયા (મી)ના જુના સુલતાનપુર ગામે તાજી જન્મેલ બાળકીને ત્યજી દેનાર મહિલા સામે ગુનો નોંધાયો

માળીયા મીંયાણા તાલુકાના જુના સુલતાનપુર ગામે પ્રાથમિક શાળાની પાછળથી ત્યજી દેવામાં આવેલ તાજી જન્મેલ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને આ અંગેની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં પોલીસે અજાણી સ્ત્રીની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના જુના સુલતાનપુર ગામે આંગણવાડી પાસે રહેતા બહાદુરભાઈ શંકરભાઈ સનુરા જાતે કોળી (૩૩) એ અજાણી સ્ત્રીની સામે હાલમાં મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, જુના સુલતાનપુર ગામે આવેલ પ્રાથમિક શાળાની પાછળના ભાગમાં કોઈ અજાણી સ્ત્રી તેની તાજી જન્મેલ બાળકીનો મૃતદેહ ત્યજીને નાશી ગયેલ છે જેથી કરીને પોલીસે આ અંગેની ફરિયાદ લઈને અજાણી સ્ત્રીની સામે ગુનો નોંધી તાજી જન્મેલ બાળકીને મૃત હાલતમાં ત્યજીને નાશી ગયેલ મહિલાને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે.

ઝેરી જનાવર કરડી જતા સારવારમાં

મોરબીના ચાર માળીયા લીલીપર રોડ ખાતે રહેતા જીતેન્દ્રભાઈ લધુરામ પરમાર નામના ૩૨ વર્ષના યુવાનને મોરબીના વાંકાનેર હાઇવે સરતાનપર રોડ ઉપરના સુકુન પ્લસ નામના કારખાના નજીક ગઈકાલ સાંજે કોઈ ઝરી જનાવર કરડી જતા તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જે અંગે નોંધ થતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરાયેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબી તાલુકાના ખાનપર ગામના રહેવાસી વજીબેન દેવજીભાઈ રૈયાણી નામના ૮૧ વર્ષના વૃદ્ધાને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે તેઓ વાહનમાં બેસીને ખાનપરથી મોરબી આવતા હતા ત્યારે શનાળા બાયપાસ ઓવરબ્રિજ નજીક તેઓ વાહનમાંથી અકસ્માતે નીચે પડી જતા ઇજા પામતા તેમને સારવારમાં ખસેડાયા હતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News